- રાજ્યમાં રવિવારે યોજાનાર કંડકટરની પરીક્ષામાં ST-SCના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો ઉપર લાવવા- લઇ જવાની એસ.ટી. બસ દ્વારા વિનામૂલ્યે સુવિધા અપાશે
- રાજ્યમાં રવિવારે યોજાનાર કંડકટરની પરીક્ષામાં ST-SCના ઉમેદવારો એસ.ટી. બસ દ્વારા વિનામૂલ્યે સુવિધા અપાશે
- ઉમેદવારો સમયસર પહોચી શકે તે માટે કરાઈ વ્યવસ્થા
કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. તેમજ આગામી તા. 29 ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને ST નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.
ST નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર, પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે નિગમ દ્વારા પોતાના તાબા હેઠળનાં તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતને ધ્યાને લઇ તમામ વિભાગોને સુચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત ST નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ૩ અને ST નિગમ દ્વારા કંડક્ટરની પરીક્ષા લેવામાં આવનાર છે. તેમજ આ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ST નિગમે પરીક્ષા કેન્દ્રોની તૈયારીની સાથે સાથે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચી શકે તે માટેની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરી છે. આ પહેલનો હેતુ પરીક્ષાર્થીઓને કોઈપણ જાતની પરેશાની વિના પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં મદદ કરવાનો છે.