Abtak Media Google News
  • ગીર સોમનાથનો હિરણ-2 76% ભરાયો

  • વેરાવળ-તાલાલાના નીચાંણવાળા વિસ્તારોમાં સાવધાન રહેવા સૂચિત કરાયા1747d7b8 0695 4764 88e2 ebfb2af32bde 1

ગીર સોમનાથ ન્યુઝ: ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-2  જળાશય 76 % ભરાઈ ગયો છે. જળાશયમાં ઉપરવાસમાંથી ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં ડેમ ડીઝાઇન સ્ટોરેજના R.L. 69.98% મીટર, ઊંડાઈ 7.18 મીટર તથા જીવંત જથ્થો 25.995 M.C.U.M. ભરાયેલ છે. તેમજ ઈનફ્લો 4880 ક્યૂસેક છે. જેથી હિરણ-2 જળાશયના હેઠવાસમાં આવતાં ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાખર ન લઇ જવા સૂચના આપવામાં આવી છે.a12d47ff 888f 47a3 8b3b 9b2c238da26a

ડેમનું નિર્ધારીત રૂલ લેવલ 70.75 મીટર જાળવવા કોઇપણ સમયે દરવાજા ખોલવાની આવશ્યકતા ઉભી થશે જેથી સાવચેત રહેવાં જણાવાયું છે. જળાશય હેઠળના તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોને સાવધાન રહેવા માટે સૂચિત કરવામાં આવ્યા છે. તેમજ નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાંખર ન લઇ જવા માટે પણ કડક સુચના આપવામાં આવી છે.

અતુલ કોટેચા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.