Gir Somnath: વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે વેરાવળ નગરપાલિકાની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે શહેરના વિવિધ ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામતની કામગીરી કરવામાં આવી હતી.

562

વેરાવળ શહેરમાં રાહદારીઓને અગવડતા ન પડે તે માટે 60 ફૂટ રોડ, 80 ફૂટ રોડ, શંખ સર્કલ, જલારામ રીંગ રોડ સહિત શહેરનાં વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું.

અતુલ કોટેચા

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.