ગાંધીધામ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 17 થી 22 સપ્ટેમ્બર દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં જનજાગૃત્તિ અર્થે આજરોજ  સવારે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ રેલીની શરૂઆત આદિપુર મૈત્રી સ્કૂલથી કરી ત્યારબાદ ગાંધી સમાધિ ખાતે પૂર્ણ કરવામાં આવી.

આ રેલીમાં ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય માલતી મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ,કારોબારી ચેરમેન એ.કે સિંહ,નગરપાલિકાના હોદેદારો,કાઉન્સિલરો, ચૂંટાયેલા સભ્યો અને ખાસ કરીને મૈત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે ઈન્દોરની “આસ સંસ્થા” એ સ્વયંસેવક તરીકે સક્રિય રહીને આ રેલીમાં ભાગ લીધો અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું.આ ટીમ તરફથી મનોજ પરમાર,જાગૃતિ,અવિનાશ,કિશન,મનીષ,હિતેશ,હેતલ,જગદીશ, રવિ,જયેશ,માનસી,વર્ષા,ભાવેશ, પાર્થિવ વગેરે હાજર રહ્યા હતા.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.