Abtak Media Google News
  • આરોગ્ય ક્ષેત્રે જરૂરીયાત મંદોની સેવા માટે ટ્રસ્ટના બિલ્ડીંગમાં ઓપીડી સેન્ટર કાર્યરત: માત્ર દસ રૂપિયામાં નિદાન સારવારનો લાભ લઇ શકાશે

કેન્સર રોગ નિષ્ણાંત

ડો. પરિન પટેલ સેવા આપશે

કેન્સરના લક્ષણો

લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ

લાંબો સમય અવાજ બેસી જવો

ખોરાક – પાણી ગળવામાં પડતી તકલીફ

ગળામાં સતત દુખાવો ચાલુ રહેવો.

શહેરના જરૂરીયાત મંદ નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા 24 વર્ષથી કાર્યરત  પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થકેર ગ્લોબલનાં સંયુકત ઉપક્રમે છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્વને ભરડામાં લઈ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે” કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ” હાથ  ધરાયો છે. પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ  નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ ્રસૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઈ શકશે.

જે અંતર્ગત આવતીકાલે  કેન્સર નિષ્ણાંત ડો.પરિન પટેલ  પુજીત રૂપાણી મેમો. ટ્સ્ટ” 1-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂવ ર્ઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ (ફોનનં.2704545) ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે 9 થી 10 વાગ્યા સુધીનો રહેશે. રજિસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે. આ કેમ્પમા ંગુજરાતના પ્રતિષ્ઠિત તબીબ ડો. પરિન પટેલ સેવાઓ આપશે. જે અંતર્ગત મોં, ગળું, જડબાંના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્સ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીએ અનુરોધ કર્યોછે.

સાથો સાથ અચાનક દેખાદેતા આરોગન ેઉગતો જડામવા માટે તેના ચિહનો ઓળખી લઈ અગાઉથી નિદાન કરી લેવાથી તેને મહાત કરવાનું સરળ થઈ જાય છે.

વર્તમાન સમયમાં ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ તથા અતિ ખર્ચાળ મેડીકલટ્રીટમેન્ટ વચ્ચે કઈ કઈ સાવચેતીરાખીને કેન્સરથી બચી શકાય અને થયું હોય તો વિનામુલ્યે નિદાન કરાવી મહામૂલી જીદગી બચાવી શકાય તે માટે હવે શહેરમાં શરૂ  થનારી ઝુંબેશનો લાભ એક્સપર્ટ ઓપીનીયન દ્રારા દર મહિને બે વાર મેળવી રાજકોટ, સૌરાષ્ટ્ર તથા કચ્છના પ્રજાજનો નિશ્ચિંત બની શકશે.

ઉલ્લેખનીય છે કે આરોગ્ય ક્ષેત્રે જરૂરિયાત મંદ પ્રજાજનોની સેવાઓ માટે પુજીત રૂપાણી ટ્રસ્ટના મુખ્ય બિલ્ડીંગમાં ઓપીડી સેન્ટર પણ કાર્યરત છે. જેમાં માત્ર દસ રૂપિયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે તથા શહેરના નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ મેળવી શકાય છે. દર બુધવારે સવારે 9 થી 12 વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહતદરે લેબોરેટરી, એકસ-રે તથા ફિઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે.

ટ્રસ્ટના મેડિકલ સેન્ટરમાં ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઈ રૂપાણી,   અંજલિબેન રૂપાણી,  રંજનબેન રૂપાણી,  મહેશભાઈ ભટ,   મેહલભાઈ રૂપાણી,  રાજેશભાઈ રૂપાણી તથા  અમીનેશભાઈ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે ટ્રસ્ટની મેડીકલ કમિટીના મેમર્બ્સ  અંજલિબેન રૂપાણી,   મહેશભાઈભટુ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.નયનભાઈ શાહ, ડો.વિભાકરભાઈ વચ્છરાજાની,  દિવ્યેશભાઈ પટેલ તથા   બિપીનભાઈ વસા કાર્યરત છે.

વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈટ્ટનો પુજીત રૂપાણીે મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.0281-2704545/2701098 દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાંજણાવાયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.