અરવલ્લી એસીબીએ શામળાજી પાસે ટ્રકચાલકો પાસેથી સેલટેક્સ વિભાગના ઇન્સ્પેકટરો રૂપિયા ખંખેરતા હોવાની બાતમી આધારે કરેલી રેડમાં કારમાંથી રૂ.6.51 લાખ બિનહિસાબી મળી આવ્યા હતા. આથી વેરા નિરીક્ષક વિભાગના ચાર ઇન્સ્પેકટરોની અટકાયત કરી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.હિંમતનગર-શામળાજી હાઈવે પર દિલ્હી-મુંબઈ માલવહન કરતી ટ્રકોના ચાલકોને સેલટેક્સના વર્ગ-3 ના નિરીક્ષકો દ્વારા કનડગત કરાતી હોવાની અને રૂપિયા ખંખેરતા હોવાની બૂમ ઉઠતાં એસીબીની ટીમે હાઈવે પર ધામા નાખ્યા હતા. એસીબીના પીઆઇ સી.ડી. વણઝારા અને સ્ટાફે શામળાજી પાસે રેડ કરતાં 4 સેલટેક્ષ અધિકારીઓના હોશકોશ ઊડી ગયા હતા.અધિકારીઓની કાર (જીજે 18 બીએચ 1998)ની તલાશી લેતાં અંદરથી રોકડ રકમ રૂ. 6.51 લાખ બિનહિસાબી મળી આવતાં એસીબીએ વેરા નિરીક્ષક વિભાગના 4 ઇન્સ્પેક્ટરોની અટકાયત કરી જિલ્લાની એસીબીની વડી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં પૂછપરછ દરમિયાન તેઓ આટલી મોટી બિનહિસાબી રકમ ક્યાંથી આવી આ અંગે જરૂરી પુરાવા રજૂ ન કરતાં તેમની સામે એસીબીએ ગુનો નોધી પ્રજાપતિ મહેન્દ્રકુમાર મનજીભાઈ શિવાનંદ કેશવલાલ જાદવ હાર્દિક દિલીપભાઈ લાંબા રોહિતકુમાર ગુણવંતલાલ ત્રિવેદી ચારની ધરપકડ કરતાં જીએસટી વિભાગમાં ફફડાટમચી જવા પામ્યો છે
Trending
- શું તમારું બાળક ચીડચીડુ થઈ ગયું છે??
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે..!
- પ્રાંત કચેરી નલિયા ખાતે સંકલન બેઠક…
- પ્રશ્નાવાડા ગામે ભાવસિંગ જાદવે કર્યો એક પુરક વ્યવસાય!!!
- આવા પણ મહેમાન હોય ..!
- કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી???
- તાજુ આદુ કે સૂકી સુંઠ : હેલ્થ માટે કયું વધું ફાયદાકારક !
- ટેણીયાને ચશ્માંથી બચાવવા માંગતા હોઈ તો આ બાબતોનું ધ્યાન રાખો..!