બુદ્ધદેબ ભટ્ટાચાર્ય લાંબા સમયથી બીમાર  હતા : તેઓએ  સતત 11 વર્ષ સુધી  પ.બંગાળમાં શાસન કર્યું હતું

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને સીપીએમ નેતા બુદ્ધદેબ ભટ્ટાચાર્યનું નિધન થયું. બુદ્ધદેબ ભટ્ટાચાર્ય  લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધન ની  માહિતી તેમના દીકરા સુચેતન ભટ્ટાચાર્યએ આપી હતી. 80 વર્ષની વયે તેઓ એ અંતિમ શ્વાસ લીધા.

પ.બંગાળમાં ડાબેરી પક્ષના 34 વર્ષના શાસન દરમિયાન ભટ્ટાચાર્ય સીપીએમ વતી બીજા અને છેલ્લાં મુખ્યમંત્રી હતા. તેમણે 2000થી 2011 દરમિયાન સતત 11 વર્ષ શાસન કર્યું હતું. તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.તેઓ ઘણા સમય થી બીમાર હતા. કોલકાતાના અલીપોરમાં ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હાલમાં તેમને ન્યુમોનિયા થયું હતું અને તેના કારણે તેમને વેન્ટીલેશન પર રખાયા હતા. આજે બુદ્ધદેબ ભટ્ટાચાર્ય નું નિધન થતાં પરિવાર માં ઘેરો શોક છવાયો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.