- અંબાજી ગબ્બર ખાતે આગામી 15થી 17 એપ્રિલ સુધી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ અને રોપ-વે રહેશે બંધ
- મધપૂડાને ઉડાડવાની કામગીરી કરવા બાબતે રોપ-વે રહેશે બંધ
- જાહેર જનતાએ નોંધ લેવા અંબાજી વહીવટદાર દ્વારા અનુરોધ કરાયો છે
યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે ગબ્બર ટોચ ખાતે દર્શન, 51 શક્તિપીઠ પરીક્રમા દર્શન તથા રોપ-વેની સુવિધા આ સમયગાળા માટે યાત્રિકોના પ્રવેશ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર 3 દિવસ દર્શન અને રોપ-વે સેવા બંધ કરવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. કારણ એ છે કે, ગત બે દિવસ પહેલા મહેસાણા અને અમદાવાદના શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા, ત્યારે ગબ્બર પર અચાનક ભમરા ઉડ્યા હતા અને 25 લોકોને ડંખ માર્યા હતા. આ સમગ્ર બનાવ બાદ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા આગામી 15 થી 17 એપ્રિલ સુધી દર્શન અને રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે હવે મધપૂડા ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આગામી ત્રણ દિવસ ગબ્બર દર્શન અને રોપ વે બંધ રહેશે
મળતી માહિતી મુજબ, અંબાજીમાં થોડા દિવસ પહેલા ગબ્બર દર્શન વખતે શ્રદ્ધાળુઓને ભમરા કરડ્યા હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 3 દિવસ ગબ્બર દર્શન 51 શક્તિપીઠ પરિક્રમા અને રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગબ્બર માર્ગ અને પરિક્રમા માર્ગ તેમજ વિવિધ જગ્યા ઉપર અનેક લાગેલા મધપૂડા ઉડાડવાની કામગીરી ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવશે.
આગામી તારીખ 15 એપ્રિલ 2025થી તારીખ 17 એપ્રિલ 2025 એમ ત્રણ દિવસ દરમિયાન મધપુડા(મધમાખી) ઉડાડવા અને નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ ગબ્બર ટોચ ખાતે દર્શન, 51 શક્તિપીઠ પરીક્રમા દર્શન તથા રોપ-વેની સુવિધા આ સમયગાળા માટે યાત્રિકોના પ્રવેશ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેથી આ સમળગાળા દરમિયાન ગબ્બર ટોચ, 51 શક્તિપીઠ પરીક્રમા ખાતે દર્શન તથા રોપ-વે સુવિધા પણ યાત્રાળુઓ માટે બંધ રહેશે.
તેમજ તારીખ 18 એપ્રિલ 2025થી ગબ્બર ખાતે રાબેતા મુજબ દર્શન અને રોપ-વેની સુવિધા શરૂ કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા અંબાજી વહીવટદાર દ્વારા અનુરોધ કરાયો છે. અંબાજી ટ્રસ્ટ દ્વારા 15 થી 17 એપ્રિલ સુધી ગબ્બર દર્શન અને રોપ વે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે મધપૂડા ઉડાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 18 એપ્રિલથી ગબ્બર દર્શન રાબેતા મુજબ શરૂ થશે.