ગુસ્સો એ હસવું, રડવું, જેવી કુદરતી લાગણી છે, પરંતુ કેટલીકવાર પરિસ્થિતિ એવી બની જાય છે કે વ્યક્તિ ગુસ્સામાં પોતાનો મગજ પરનો કંટ્રોલ ગુમાવી બેસે છે, જેના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે અથવા તો મોટું નુકસાન પણ થઈ શકે છે. કેટલાક લોકોને દરેક મુદ્દા પર ગુસ્સો આવે છે, તેમજ તેને કાબૂમાં રાખવો ખૂબ જ જરૂરી છે, કારણ કે વધુ પડતા ગુસ્સાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થાય છે. આ દરમિયાન લાંબા સમય સુધી ગુસ્સે રહેવાથી અને મનમાં ગુસ્સાને દબાવી રાખવાથી પણ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થવાની સંભાવના વધી જાય છે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે.

શરીરમાં હોર્મોન્સ મહત્વની ભૂમિકા ભજવે છે અને તે અલગ અલગ રીતે કામ કરે છે. જે રીતે ખુશીની પાછળ 4 પ્રકારના હોર્મોન્સ હોય છે, તેવી જ રીતે ગુસ્સો આવવા પાછળ પણ હોર્મોન્સનો સ્ત્રાવ હોય છે, પરંતુ ગુસ્સામાં જે હોર્મોન્સ વધી જાય છે તેનાથી તણાવ પણ વધે છે, આ સાથે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખરાબ છે.

હૃદયને નુકસાન પહોંચાડે છે:

GUSSO 1

જ્યારે કોઈ વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવે છે, તો તેની ખરાબ અસર તેના હૃદય પર પડે છે. આ સાથે ગુસ્સો, ઉદાસી, ચિંતા જેવી નેગેટિવ ઈમોશન હૃદયની સમસ્યાઓમાં વધારો કરી શકે છે. તેમજ જ્યારે વધુ પડતો ગુસ્સો આવે છે, ત્યારે એન્ડોથેલિયલ ફંક્શન પ્રભાવિત થાય છે, જેનાથી બ્લડ પ્રેશરમાં વધારો જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો એન્ડોથેલિયલ ડિસફંક્શન હોય તો હૃદય રોગનું જોખમ વધી શકે છે.

મગજને પણ અસર થાય છે :

GUSSO

ગુસ્સો આવવા પાછળનું કારણ મગજમાંથી નીકળતા હોર્મોન્સ છે. જે મગજના એમીકડાલામાં હોય છે. તે સિવાય મગજની મધ્યમાં સ્થિત હાયપોથેલેમસમાંથી હોર્મોન્સ બહાર આવે છે અને જ્યારે એમીકડાલા હાયપોથેલેમસમાંથી નીકળતા હોર્મોન્સના સંપર્કમાં આવે છે ત્યારે લાગણીઓ ગુસ્સામાં ફેરવાઈ જાય છે. તે દરમિયાન હૃદયના ધબકારા વધવા લાગે છે અને બ્લડ પ્રેશર પણ વધે છે. તેમજ આ સાથે નસોમાં ઉર્જા પણ વધે છે. આ સાથે સ્ટ્રેસ હોર્મોન્સ વધવાથી મગજના જ્ઞાનતંતુઓ પર દબાણ પણ વધે છે, જે મગજને નુકસાન પહોંચાડે છે.

પાચનક્રિયા પર અસર :

GUUSO

જ્યારે વધુ પડતો ગુસ્સો આવે છે, ત્યારે કોર્ટિસોલનું સ્તર વધી જાય છે, જેના કારણે પાચનતંત્ર પણ પ્રભાવિત થાય છે અને એસિડ રિફ્લક્સ, કબજિયાત, અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી પાચન તંત્ર પર સોજો પણ વધી શકે છે. તેમજ તણાવમાં રહેવાથી ઘણીવાર પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી વગેરે જેવી સમસ્યાઓ થાય છે અને શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ થઈ શકે છે.

ગુસ્સાને કેવી રીતે શાંત રાખવો :

GUSSO 2

ગુસ્સાને શાંત કરવા માટે સૌથી પહેલા તમારે તે સ્થાન અથવા વ્યક્તિથી દૂર જવું જોઈએ. જેના કારણે તમે ગુસ્સે થઈ રહ્યા છો અને આરામથી ઊંડા શ્વાસ લો. આ સાથે હળવા સંગીતને સાંભળો જે તમને આરામ કરવામાં મદદ કરે છે. તેમજ  જો તમને વધુ પડતા ગુસ્સાની સમસ્યા હોય તો દરરોજ ધ્યાન, યોગ અને પ્રાણાયામ કરવાની ટેવ પાડો. ત્યારે ધીમે-ધીમે ગુસ્સાનો પ્રભાવ ઓછો થતો જણાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.