પાકિસ્તાને ભારત સામેની હાર માથી હતાસ થઈ જવાને બદલે ટીમમાં એક નવા જોસ સાથે તે સતત સારા પ્રદશનને કારણે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં પાકિસ્તાનનો 8 વિકેટે વીજય થયો હતો અને તે ફાઇનલમાં ભારત તેમજ બાગ્લાદેશમાથી કોઈ એક ટીમ સાથે ટકરાશે. આ અગાઉ પણ પાકિસ્તાને સાલ 1992માં ઈંગ્લેન્ડને વર્લ્ડકપની ફાઇનલમાં હરાવી ખિતાબ એને નામે કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ એ મેચનો બદલો લઈ ન શકી અને ફરી આજે પાકિસ્તાનની જીત થઈ હતી. આ મેચ પેહલા ઈંગ્લેન્ડની ટીમ અજેય હતી અને ચેમ્પિયન ટ્રોફી માટે મજબૂત દાવેદાર હતી. ઈંગ્લેન્ડને શરૂઆતથી જ ફેરવિટ માનવમાં આવતું હતું પરંતુ જીત આખર જીત છે અને પાકિસ્તાને મેચ જીતીને બતાવી દીધું છે કે હજુ પાકિસ્તાનની ટીમ ઊલટફેર કરી શકે તેમ છે. મેચ પછી પાકિસ્તાનના કેપ્ટનને જણાવ્યુ કે ભારત સામેની હાર પછી અમારા વધારે જુસ્સો અને સ્પીરટ આવી જેથી બાકીને મેચમાં અમે તેનું પરિણામ દેખાડી ફાઇનલ સુધી જગ્યા બનાવી હતી. પાકિસ્તાનની ટીમ ભારત સામેની હાર પછી એક સમયે એવું લાગતું હતું કે તે શ્રીલંકા સામે પણ હારી જશે પણ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે એક બહતરીન પારી રમીને ટીમને જીત આપવી અને સેમિફાઇનલ જગ્યા બનાવી હતી. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 211 રન બનાવ્યા હતા તેના જવાબમાં પાકિસ્તાને 37.1 જ ઓવરમાં બે વિકેટ ગુમાવીને 215 રન બનાવી મેચ જીતી હતી.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મિત્રો સાથે બગડેલા સંબંધો સુધરે, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, કાર્યમાં સફળતા મળે.
- સુરતમાં માધવપુરના મેળાની સાંસ્કૃતિક કૃતિઓ કરાશે રજૂ!!!
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!