Abtak Media Google News
  • ટીમ ઈન્ડિયા ચેમ્પિયન T20I વર્લ્ડ કપ 2024 :- ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024 ખિતાબ જીતની સાથે વિરાટ અને રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

10 55

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન T20I વર્લ્ડ કપ 2024 :-

વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ તરતજ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. કોહલી અને રોહિતે ટીમ ઈન્ડિયા માટે ખુબજ શાનદાર પ્રદર્શન ભજવ્યું છે. રોહિત કેપ્ટન તરીકે સ્ક્સમ રહ્યો છે. કોહલી બાદ તેને આ જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં તે ખુબજ સફળ રહ્યો હતો. રોહિત અને કોહલીની નિવૃત્તિ સાથે એક યુગનો અંત આવ્યો. કોહલીએ ઘણા T20 આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા છે, જેને તોડવું કોઈ પણ ખેલાડી માટે આસાન નહીં હોય. જોકે હવે બંનેને યાદગાર વિદાય મળી રહી છે.

ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ પરંતુ હવે રોહિત શર્માએ ફરી એકવાર ચાહકોના સપના સાકાર કર્યા છે. રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ 2023ના ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પણ પહોંચી હતી પરંતુ અહીં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વખતે રોહિતે ચાહકોને નિરાશ મ થવા દીધા  અને ટીમને ચેમ્પિયન બનાવી.

વિરાટની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી :-

વિરાટ વિશ્વના એવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે જેણે પોતાની કારકિર્દીને પોતાના દમ પર અપનાવી છે. આ સાથે ટીમનો ધ્વજ પણ ઉંચો રાખવામાં આવ્યો છે. જો આપણે કોહલીની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તે શાનદાર રહ્યો છે. તેણે 125 મેચમાં 4188 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 38 અડધી સદી ફટકારી છે. કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 122 રન છે. કોહલી ટીમ ઈન્ડિયા માટે ભરોસાપાત્ર રહી છે. જો કે, આ T20 વર્લ્ડ કપ તેના માટે સારો ન હતો. પરંતુ તેણે ફાઇનલમાં 76 રનની ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળ્યો છે.

રોહિતે T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી :-

રોહિતની વાત કરવામાં આવે તો, તે પણ એક મજબૂત ખેલાડી તરીકે ઊભો રહ્યો છે. અને આ પછી તે સફળ કેપ્ટન સાબિત થયો છે. રોહિતે તેની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત છે. તે હમેશા પરિસ્થિતિ અનુસાર રમતો જોવા મળ્યો છે. પરંતુ મોટે ભાગે તેને હુમલાખોર માનવામાં આવે છે. રોહિતે ભારત માટે 159 T20 મેચ રમી છે. આ દરમિયાન 4231 રન બનાવ્યા હતા. તેણે આ ફોર્મેટમાં 5 સદી અને 32 અડધી સદી ફટકારી છે. રોહિતનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 121 રન રહ્યો છે. તેણે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. તેમાં મહત્વની વાત એ છે કે તેની બેટિંગ મુશ્કેલ સંજોગોમાં પણ ભારતને જીત તરફ લઈ જવામાં સફળ રહી છે.

ચાહકો રોહિત-વિરાટને મિસ કરશે :-

મેદાન પર વિરાટ કોહલી અને રોહિત શર્માની હાજરી ચાહકો માટે મનોરંજનની ગેરંટી છે. જોકે એ અલગ વાત છે કે ક્યારેક તે વહેલો આઉટ થઈ જાય છે. પરંતુ આ બંને ખેલાડીઓએ પોતાની વિસ્ફોટક ઈનિંગ્સથી ચાહકોનું ઘણું મનોરંજન કર્યું છે. પરંતુ હવે રોહિત અને વિરાટે નિવૃત્તિ લઈ લેતા જોવા મળી રહ્યા  છે. તેથી, ચાહકો તેને આ ફોર્મેટ માટે ચોક્કસપણે યાદ કરશે. ટીમ ઈન્ડિયા T20 ફોર્મેટમાં સંપૂર્ણ ફેરફારમાંથી પસાર થઈ રહી છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.