Abtak Media Google News
  • ઈન્ટવેન્શનલ રેડિયોલોજીની મદદથી સ્ટોક, આંતરિક રકતસ્ત્રાવ, બ્રેઈન હેમરેજ અને મગજને લગતી જટિલ શસ્ત્રક્રિયાઓ સરળતા સાથે કરી શકાય

આપણા રંગીલા શહેર રાજકોટમાં રેજન્સી લગૂન ખાતે  બે દિવસીય ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની ૠઞઉં ઈંછ 2024 નામની નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ મહત્વના કાર્યક્રમને અનુલક્ષીને ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીના મૂળભૂત પાસાઓ અને પેશન્ટકેર પર તેની ઊંડી અસર અને પ્રકાશ પાડવા માટે એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ડો. વિકાસ જૈન (સીનિયર ક્ધસલ્ટન્ટ- ઈન્ટરવેન્શનલ રેડીયોલોજીસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ આધુનિક મેડિકલ પ્રેક્ટિસમાં ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની પરિવર્તનશીલ ક્ષમતા પર ભાર મૂક્યો હતો. ઇન્ટરવેન્શન રેડિયોલોજી તબીબી ઇનોવેશનમાં મોખરે છે, જે દર્દીઓને અત્યંત અસરકારક મિનિમલી ઇનવેઝીવ સારવાર પૂરી પાડે છે. તેમણે જણાવ્યું હતું કે, “રાજકોટમાં 20 અને 21મી જૂલાઇ દરમિયાન ઇન્ટરવેનાન રેડિયોલોજી કોન્ફરન્સના પ્રભાવથી ગ્રાઉન્ડબેકિંગ તકનીકોનું વધુ અન્વેષણ કરાયું, નવીનતમ સંશોધન, તકનીકી પ્રગતિ અને ક્લિનિકલ એપ્લિકેશન પણ રજૂ કરાયા હતા. આ ઇવેન્ટ એ નોલેજ એક્સચેન્જ માટેના પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી અને દર્દીના પરિણામોમાં સુધારો કરવાનો ચાલુ રાખવા માટે હેલ્થ કેર પ્રોફેશનલ વચ્ચે સહયોગને પણ પ્રોત્સાહન અપાયું હતું.”

ડો. મનીષ અગ્રવાલ, સેન્ટર હેડ, વોકહાર્ટ હોસ્પિટલ એ જણાવ્યું હતું કે, “જેમ જેમ ઈન્ટરવેશનલ રેડિયોલોજીનો વિકાસ થતો જાય છે તેમ પેશન્ટ કેરમાં તેની ભૂમિકા વધુને વધુ મહત્વપૂર્ણ બની જાય છે. ચોકસાઈ, નવીનતા અને દર્દી કેન્દ્રિત

અભિગમો પર તેના ધ્યાન સાથે આઈઆર હેલ્થકેરના ભવિષ્યને આકાર આપવા માટે તૈયાર છે. તે વિશ્વભરમાં અસંખ્ય દર્દીઓને આશા અને ઉપચાર પ્રદાન કરે છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ હંમેશાથી દર્દીઓની સારવારમાં અગ્રેસર રહી છે અને આ પ્રકારના કાર્યક્રમો રાજકોટ સહીત ગુજરાતભરમાં હેલ્થ ક્ષેત્રે વધુ ક્રાંતિ લાવશે.

ઈન્ટરનેશનલ રેડિયોલોજીથી ટાંકા વગર કરવામાં છે સર્જરી

ઈન્ટરવેન્શનલ રેડિયોલોજી અંગે ડો.વિકાસ જૈન (સીનિયર ક્ધસલ્ટન્ટ ઈન્ટરવેન્શનલ રેડીયોલોજીસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ડો. વિકાસ જૈન સૌરાષ્ટ્ર અને કચ્છના સર્વપ્રથમ ડીએમની સુપર સ્પેશિયાલિસ્ટ ડિગ્રી ધરાવતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ છે. તેઓ છેલ્લા 11 વર્ષથી વોકહાર્ટ હોસ્પિટલ્સમાં કાર્યરત છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને સારવાર આપી રહ્યા છે. આ ઈવેન્ટ ક્ષેત્રની વ્યાપક ઝાંખી પૂરી પાડે છે જે તેના મહત્વ અને અસંખ્ય પ્રક્રિયાઓને પ્રકાશિત કરે છે અને જે તબીબી સારવારમાં ક્રાંતિ લાવી રહી છે. ભારતની બહુ ઓછી હોસ્પિટલોમાં ઈંછ (ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી)ની સુવિધા છે. અને રાજકોટ નસીબદાર છે કે ડો. વિકાસ જૈનના નેતૃત્વ હેઠળ વોકહાર્ટ હોસ્પિટલમાં આ વિશ્વ કક્ષાની સુવિધા ઉપલબ્ધ છે.ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી (ઈંછ) ની મદદથી સ્ટ્રોક, આંતરિક રક્તસ્રાવ, બ્રેઇન હેમરેજ અને મગજને લગતી જટિલ શસ્ત્રક્રિયાઓ નોંધપાત્ર રીતે સરળતા સાથે કરી શકાય છે.

ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની વાત કરીયે તો શરૂઆત વર્ષ 1964માં થઇ હતી. ઇન્ટરનેશનલ રેડિયોલોજીમાં બીમારીઓની કોઈપણ જાતના મોટા ચીરા કે ટાંકા લીધા વગર સારવાર કરવામાં આવે છે. નાના સાધનો જેવા કે કેથેટર, માઇક્રો કેથેટર, માઈક્રો વાયર, ઝીણી સોય, કોઇલ્સ, સ્ટેન્ટનો ઉપયોગ કરીને શરીરના ચોક્કસ અવયવોની સારવાર કરવામાં આવે છે, મોટાભાગની આ સારવાર પગની રંગથી કરવામાં આવે છે, જેમાં દર્દીને બેભાન કર્યા વગર ફક્ત લોકલ એનેસ્થેસિયા આપીને સારવાર કરવામાં આવે છે. આ બધી જ સારવાર મોટેભાગે ટ્રેડિશનલ સર્જરી કરતા ઝડપી, ઓછા દુખાવામાં અને કોઈપણ જાતના ડાઘા વગર રિકવરી આપે છે. મોટેભાગે દર્દીને એક જ દિવસ હોસ્પિટલમાં રોકાવું પડે છે.

ઈન્ટરનેશનલ રેડિયોલોજીથી અનેક રોગોની ઝડપી સારવાર કરવામાં આવે છે

ન્યુરો ઇન્ટરવેન્શન- જો દર્દીને મગજના લકવાની અસર આવે અને ઝડપથી છ કલાકના અંદર,પણ જેટલું જલ્દી બને એટલું હોસ્પિટલ પહોંચી જાય તો ઇન્ટરવેશનલ રેડિયોલોજીસ્ટ દ્વારા મગજની ધમનીના બ્લોકને તરત જ એન્જયોગ્રાફી કરી, મેકેનિકલ થ્રોમ્બેકટોમી દ્વારા ખોલી દેવામાં આવે છે અને દર્દીને સમયસર સારવાર મળવાથી લકવામાંથી યોગ્ય રીતે રિકવરી પણ મળી જાય છે. આ સિવાય મગજની મોરલી (મગજની ફૂલી ગયેલી નસ) અને તેના ફાટી જવાથી થતા બ્રેઈનહેમરેજ ની સારવારમાં કોઇલ્સ દ્વારા મોરલીને, ખોપડીનું હાડકું કાઢ્યા વગર બંધ કરવામાં આવે છે.

પગના ન રુજાતા ચાંદા અને ગેંગરીન મુખ્યત્વે પગની ધમનીઓ બંધ થઈ જવાના કારણે પૂરતું લોહી ન પહોંચવાથી થતું હોય છે. તેમાં એન્જોગ્રાફી અને એન્જોપ્લાસ્ટીની સારવારથી લોહીનો પ્રવાહ પાછો ચાલુ કરવામાં આવે છે જેથી દર્દીને રાહત મળે છે.

વેરીકોઝ વેન, જે મુખ્યત્વે મહિલા દર્દીઓમાં જોવા મળે છે તેની લેઝર અથવા તો અતિ આધુનિક મેડિકલ ગ્લુથી સારવાર કરવામાં આવે છે અને 24 કલાકમાં દર્દી પોતાના રોજિંદા કાર્યો કરી શકે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.