Abtak Media Google News
  • જો ઈડીને કોઇની ધરપકડની જરૂર હોય તો તેણે પહેલા કોર્ટ સમક્ષ અરજી કરવી પડશે
  • સ્પેશિયલ કોર્ટે ઙખકઅ ફરિયાદની નોંધ લીધા પછી ઇડી આરોપીઓની ધરપકડ કરી શકશે નહીં. જો ઈડીને કોઇની ધરપકડની જરૂર હોય તો તેણે પહેલા કોર્ટ સમક્ષ અરજી કરવી પડશે. તેવું સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ની કલમ 44 હેઠળ કરાયેલી ફરિયાદ કોર્ટે ધ્યાને લીધા બાદ ઈડી કોઈ વ્યક્તિની ધરપકડ ના કરી શકે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે જો ઈડીને કોઇની ધરપકડની જરૂર હોય તો તેણે પહેલા કોર્ટ સમક્ષ અરજી કરવી પડશે. તેના પછી કોર્ટ કસ્ટડીમાં પૂછપરછની જરૂરિયાતના કારણો વિશે જાણીને સંતુષ્ટ થશે તો ફક્ત એક વાર આરોપીની કસ્ટડી આપી શકે છે.

જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભૂયણની બેન્ચે કહ્યું કે ’જો આરોપી સમન્સનું પાલન કરવા માટે વિશેષ કોર્ટમાં હાજર થયો હોય, તો એવું ન માની શકાય કે તે કસ્ટડીમાં છે. અને જો આરોપી સમન્સ બાદ કોર્ટમાં હાજર થયો હોય તો તેને જામીન માટે અરજી કરવાની જરૂર નથી અને ઙખકઅ એક્ટની કલમ 45ની બેવડી શરત તેના પર લાગુ થશે નહીં.’

આ ઉપરાંત બેન્ચે  કહ્યું કે ’આરોપીને કોર્ટ દ્વારા સમન્સ પાઠવી શકાય છે, પરંતુ તેણે તેની મુક્તિ માટે જામીનની શરતો પૂરી કરવી પડશે. જો ઇડી ફરિયાદ દાખલ થાય ત્યાં સુધી આરોપીની ધરપકડ ન કરે, તો કોર્ટે કલમ 44 હેઠળ ફરિયાદ ધ્યાને લઈને આરોપીને વોરંટ નહીં પણ સમન્સ જારી કરવું જોઈએ.’ આ સિવાય જસ્ટિસ ઓકાએ જણાવ્યું હતું કે ’અરજીની સુનાવણી કરતી વખતે, કોર્ટ માત્ર ત્યારે જ અટકાયતની મંજૂરી આપી શકે છે જો તે સંતુષ્ટ હોય કે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે, ભલે આરોપીની કલમ 19 હેઠળ ક્યારેય ધરપકડ કરવામાં ન આવી હોય. સુપ્રીમ કોર્ટનો નિર્ણય તે મુદ્દા પર આવ્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે શું સીઆરપીસીની કલમ 88 હેઠળ કોર્ટમાં તેની હાજરી બતાવવા માટે આરોપી દ્વારા બોન્ડ અમલમાં મૂકવો આવશ્યક છે.

બે શરતો અનુસાર, જો મની લોન્ડરિંગ કેસમાં આરોપી જામીન માટે કોર્ટમાં અરજી કરે છે, તો કોર્ટ પહેલા સરકારી વકીલને સાંભળશે અને તે સંતુષ્ટ થયા પછી કે આરોપી દોષિત નથી અને તે પછી તે જ ગુનો ફરીથી કરશે નહીં.

મુક્ત કરશે, તો જ કોર્ટ આરોપીને જામીન આપી શકશે.  મની લોન્ડરિંગ કેસના આરોપીએ જામીન માટે કડક બે શરતો પૂરી કરવી જરૂરી છે કે કેમ તે પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો જો વિશેષ અદાલતે આ કેસની સુઓ મોટુ સંજ્ઞાન લીધી હોય.

જો કોર્ટ દ્વારા સમન્સ પાઠવ્યા બાદ મની લોન્ડરિંગનો આરોપી હાજર થાય તો જામીન માટે અરજી કરવાની જરૂર નથી.  આવી સ્થિતિમાં પીએમએલએની કલમ 45 હેઠળ જામીનની શરતો પણ લાગુ પડતી નથી.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.