ક્ધટેનરની અછત, નૂર દરમાં વધારો અને લાલ સમુદ્રના સંકટની અસરને હળવી કરાશે : સિંગાપોર, દુબઈ, સાઉદી અરેબિયા, ન્યૂયોર્ક, સિલિકોન વેલી અને ઝ્યુરિચમાં ભારત સેન્ટર ખોલી વિદેશી રોકાણકારોને આકર્ષશે: પિયુષ ગોયલ અબતક, નવી દિલ્હી

વૈશ્વિક પડકારો છતાં ભારતની માલસામાન અને સેવાઓની નિકાસ ચાલુ વર્ષે 825 બિલિયન ડોલર એટલે કે રૂ. 68 લાખ કરોડને પાર કરશે. તેમ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું કે તેમનું મંત્રાલય ક્ધટેનરની અછત, નૂર દરમાં તીવ્ર વધારો અને લાલ સમુદ્રના સંકટની અસરને હળવી કરશે.

પબ્લિક અફેર્સ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે એમ પણ કહ્યું કે ભારત સરકારના આઉટરીચ પ્રોગ્રામના ભાગરૂપે સિંગાપોર, દુબઈ, સાઉદી અરેબિયા, સંભવત: ન્યૂયોર્ક, સિલિકોન વેલી અને ઝ્યુરિચમાં એક-એક ઓફિસ ખોલવાની યોજના છે. વિદેશી રોકાણકારોને આકર્ષવાની યોજના છે.  તેમણે કહ્યું, “આગામી પગલા તરીકે, અમે ઈન્વેસ્ટ ઈન્ડિયા, નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન અને સંભવત: એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનની ઓફિસમાં ટીમો મોકલવા જઈ રહ્યા છીએ, જેથી આપણે

નિકાસકારો અને આયાતકારોને માહિતી આપી શકીએ. વિદેશી દેશોમાં આપણે સેવાઓ આપવાનું શરૂ કરી શકીએ.  તેમણે કહ્યું કે આનાથી ભારતમાં રોકાણ અને બિઝનેસ કરવાનું સરળ બનશે.   તેમણે કહ્યું કે યોજના એવી છે કે આ ઓફિસો દ્વારા વિશ્વમાં ક્યાંય પણ બેઠેલી વ્યક્તિ ભારતમાં જમીન ખરીદી શકે છે, તે જમીનનો ટુકડો જોઈ શકે છે, સિંગલ વિન્ડો પ્લેટફોર્મ દ્વારા તમામ મંજૂરીઓ લઈ શકે છે અને જો કોઈ સમસ્યા હોય તો તેના દ્વારા ઉકેલ લાવી શકાય છે.

ગોયલે કહ્યું, “વેપાર, ટેકનોલોજી, રોકાણ અને પર્યટન, આ અમારી પહોંચ હશે.”  ઓગસ્ટમાં ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસમાં 9.3%નો ઘટાડો થયો હતો અને વેપાર ખાધ 29.65 બિલિયન ડોલરની 10 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી.  ગયા વર્ષે માલ અને સેવાઓની નિકાસ 778 બિલિયન ડોલર રહી હતી.

રશિયન ઓઈલ મિનિસ્ટરે કહ્યું કે ઈરાન અને વેનેઝુએલા જેવા દેશો પરના પ્રતિબંધોને કારણે દેશો રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના ભારતના પગલાને માન્યતા આપી રહ્યા છે અને તેનાથી વિશ્વ બજારને સ્થિર કરવામાં મદદ મળી રહી છે.  ગોયલે કહ્યું, “અન્યથા ઓપેક જે પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે, જો આપણે દરરોજ 5.4 બિલિયન બેરલની અમારી સંપૂર્ણ માંગ સાથે બજારમાં હોત, તો અત્યાર સુધીમાં તેલ બેરલ દીઠ 300 અથવા 400 ડોલર પર હોત અને આજે આપણે જે 72 ડોલર જોઈ રહ્યા છીએ તે નહીં. “ભારતના નિર્ણયની ઠંડી અસર થઈ છે.”  ગોયલે જણાવ્યું હતું કે કેબિનેટે તાજેતરમાં આવી 12 ટાઉનશીપને મંજૂરી આપ્યા બાદ તેઓ ભારતીય ઔદ્યોગિક ટાઉનશીપમાં એકમો સ્થાપવા માટે જાપાન, સિંગાપોર અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશો તરફ જોઈ રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.