Abtak Media Google News
  • સવારે શૃંગાર આરતીમાં સૂકા મેવા મનોરથ
  • સાંજે ઉત્થાપન સમયે કુંડલા ભોગ મનોરથScreenshot 2 7

દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ ઠાકોરજીને એક જ દિવસમાં બબ્બે મનોરથ દર્શન યોજાયા હતા. સવારે ઠાકોરજીના શૃંગાર અરતી સમયે સુકા મેવા મનોરથ દર્શન તેમજ સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે કુંડલા ભોગ મનોરથ ભાવિક ભકત પરિવારો દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી યોજવામાં આવ્યા હતા. શ્રીજીના બંને મનોરથ દર્શનનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. એક જ દિવસમાં બબ્બે વખત યોજાયેલાં મનોરથ દર્શનને ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો વૈષ્ણવોએ નિહાળી ધન્યતા અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.