• કુટુંબના તમામ સભ્યોના આધાર નંબર રાશનકાર્ડ સાથે e-kyc કરાવવું ફરજીયાતaadhaar with ration card in 2024

Dwarka news: દ્વારકા તાલુકાના NFSA તથા Non-NFSA તમામ રાશનકાર્ડ ધારકોએ તેમના કુટુંબના તમામ સભ્યોના આધાર નંબર રાશનકાર્ડ સાથે e-kyc કરાવવું ફરજીયાત છે. આથી રાશનકાર્ડ ધારકોએ MY RATION GUJARAT મોબાઈલ એપ્લીકેશન મારફત e-kyc વહેલી તકે કરાવી લેવા દ્વારકા મામલતદાર જે.એન.મહેતા દ્વારા અપીલ કરાઈ છે. જો આ કામગીરીમાં કોઈ મુશ્કેલી જણાય તો ગામ અથવા એરીયાની નજીકની વ્યાજબી ભાવના દુકાનદાર તથા મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં સંપર્ક કરી શકાશે. દ્વારકા મામલતદાર જે.એન.મહેતા દ્વારા તાલુકાના તમામ નાગરીકોને આ કામગીરીમાં સહયોગ આપી વહેલી તકે e-kyc કરાવી લેવા અપીલ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.