Abtak Media Google News
  • વહીવટદાર એચ.બી.ભગોરાના અધ્યક્ષસ્થાને પૂર્વતૈયારી અંગે રીવ્યુ બેઠક યોજાઈ04 7

Dwarka: યાત્રાધામ દ્વારકા ખાતે આગામી તા.26-08-2024 ને સોમવારના રોજ જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી અંગે ગત તા.09-08-2024 ના રોજ કલેકટર કચેરી, દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા) ખાતે યોજાયેલી મીટીંગમાં થયેલ સુચના અનુસાર હાથ ધરાયેલ પૂર્વ તૈયારીની સમીક્ષા હેતુ આજરોજ દેવસ્થાન સમિતિના સભાખંડમાં રીવ્યુ બેઠક યોજવામાં આવેલ. આ મીટીંગમાં જન્માષ્ટમી ઉત્સવ અંતર્ગત વિવિધ મુદાઓ જેમકે યાત્રિકોની સુખાકારી તથા દર્શન માટે સુદ્રઢ વ્યવસ્થા, સુરક્ષા, ટ્રાફીક નિયમન ઉપરાંત બહારથી આવતા યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે હેતુ વિશેષ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી એચ.બી.ભગોરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ, મામલતદાર જે.એન. મહેતા, ચીફ ઓફીસર ઉદય નસીત, પી.આઈ. પટેલ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ, ધાર્મિક સામાજીક સંસ્થાના વડાઓ, પત્રકારો સહિતનાઓ ઉપસ્થિત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.