• યાત્રીકોની સુખાકારી માટે ચુસ્ત બંદોબસ્ત કરાશે01 10

Dwarka: યાત્રાધામ દ્વારકામાં આગામી 26મી ઓગષ્ટ, 2024 શ્રાવણ વદ અષ્ટમીએ જન્માષ્ટમી પર્વની પરંપરાગત ઊજવણી થનાર હોય જેમાં દર વર્ષની જેમ લાખો ભાવિકો ઉમટે તેવી સંભાવનાએ તંત્ર દ્વારા યાત્રીકોની સુખાકારી કાજે તડામાર તૈયારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. જન્મોત્સવ પર્વ નિમિત્તે ગઈકાલથી જગતમંદિરને વિશિષ્ટ લાઈટીંગ તથા ડેકોરેશનથી સુશોભન કાર્ય હાથ ધરાયું છે. જગતમંદિરના મોક્ષ દ્વાર, સ્વર્ગ દ્વાર, લાડવા ડેરૂ, મુખ્ય શિખર તથા મંદિર પરિસરના નાના-મોટાં ૨૦ જેટલા મંદિરોમાં પણ ટૂંક સમયમાં લાઈટીંગ ડેકોરેશન કાર્ય હાથ ધરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.