Diwali Carnival : રાજકોટ શહેરમાં આગામી તહેવારોને લઈને દિવાળી કાર્નિવલની ઉજવણી કરવામાં આવી છે. જેમાં 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 27 ઓક્ટોબરે આ દિવાળી કાર્નિવલનો કિસાનપરા ચોકથી પ્રારંભ કરવામાં આવશે. આ માટે આખા રેસકોર્સ રિંગ રોડને  શણગાર કરવામાં આવશે. તેમજ રિંગ રોડ પર દુબઈમાં થાય તે પ્રકારનો લેસર શો કરાશે. આ ઉપરાંત 30 ઓક્ટોબરે સાંજે એક કલાક આતશબાજી યોજાશે. તેમજ એટલું જ નહીં દિવાળીમાં 500થી વધુ સ્પર્ધાત્મક રંગોળીનું આયોજન કરાયું છે. જેમાં પણ 500 કરતા વધુ બહેનો દ્વારા વિવિધ પ્રકારની રંગોળી કિસાનપરા ચોકથી લઈને ફનવર્લ્ડ સુધી કરવામાં આવશે.

તમામ રાજમાર્ગો તેમજ મુખ્ય ચોકમાં લાઈટિંગ-ડેકોરેશન કરાશે. આ સાથે રંગીલું રાજકોટ તહેવારોની ઉજવણી કરવામાં અગ્રેસર રહેતું હોય છે. ત્યારે મનપાનાં શાસકો દ્વારા પણ રાજકોટમાં તહેવારો દરમિયાન વધુમાં વધુ લોકો ઉજવણી કરી શકે તેવા પ્રકારનું આયોજન દર વર્ષે કરાતું હોય છે. આ દરમિયાન ચાલુ વર્ષે પણ રાજકોટનાં તમામ રાજમાર્ગો તેમજ મુખ્ય ચોકમાં લાઈટિંગ, ડેકોરેશન કરવામાં આવનાર છે. ધનતેરસે આતશબાજી અને દિવાળીએ રંગોળી સ્પર્ધા યોજવાનું મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

27થી 31 ઓક્ટોબર સુધી દિવાળી ઉત્સવની ઉજવણી કરાશે. આગામી દિવાળીના તહેવારોને લઈને 27થી 31 ઓક્ટોબરે રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં એન્ટ્રી ગેટ, આકર્ષક થીમ બેઝ લાઈટિંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, લેસર-શો સહિતના વિશેષ આકર્ષણોનો ઉમેરો કરવામાં આવશે.

રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનાં વિવિધ કાર્યક્રમો આગામી તા. 27 ઓક્ટોબરે સાંજે 5:30 વાગ્યે RMC પ્લોટ કિસાનપરા ચોક ખાતેથી આ દિવાળી ઉત્સવનો શુભારંભ રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાનાં હસ્તે થશે. આ ઉપરાંત 29 ઓક્ટોબરનાં રોજ રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. તેમજ આ સ્પર્ધકો દ્વારા બનાવેલી રંગોળી 30 અને 31નાં રોજ શહેરીજનો નિહાળી શકશે. જ્યારે 30 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. આ દરમિયાન રાજકોટનાં લોકો બહોળી સંખ્યામાં આતશબાજી નિહાળવા ઉમટી પડશે. તેમજ રેસકોર્સ રિંગ રોડ ફરતે 27થી 31 ઓક્ટોબર સુધી આકર્ષક થીમ બેઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે. રેસકોર્સ રિંગરોડ ખાતે એન્ટ્રી ગેટ અને લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

રંગોળી સ્પર્ધામાં વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત યોજાનાર રંગોળી સ્પર્ધામાં વિજેતાને પુરસ્કાર અપાશે. આ વર્ષે રાજકોટમાં પ્રથમ વખત સ્લોગન ગ્રુપ રંગોળી રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.