Abtak Media Google News
  • દેશનું પ્રતિનિધિત્વ કરતો ખેલાડી અગત્યના મેચ પૂર્વે સૂતો રહે તે અયોગ્ય: સર્જાયા અનેક તર્ક વિતર્ક

ટી20 વિશ્વકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં કા તો ટીમ તેના નબળા પ્રદર્શન થી બહાર થતી હોય અથવા તો ગેરશિસ્ત જોવા મળતી હોય. ત્યારે હાલ જે ટી20 વિશ્વકપ પૂરો થયો તેમાં બાંગ્લાદેશને તેની ગેરશિસ્ત જ ભારે પડી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. સુપર 8ના મેચમાં જ્યારે બાંગ્લાદેશનો મેચ ભારત સામે હતો તે પૂર્વે બાંગ્લાદેશના ફર્સ્ટ બોલર તસ્કીન અહેમદ સૂતો રહેતો હોવાથી તે ટીમ સાથે જોડાઈ શક્યો ન હતો આ તેની ગેરસિસ્ત જ છે. જ્યારે કોઈ એક ખેલાડી દેશનું પ્રતિનિધિત્વ કરતો હોય તેની આડે આ પ્રકારની કોઈ ઘટના ઘટે તે અયોગ્ય છે એટલું જ નહીં આ પ્રકારની ઘટના ટીમનું મોરલ પણ ઘટાડી દયે છે. 

ભારતીય ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું.  આ દરમિયાન એક સમાચાર સામે આવી રહ્યા છે જે ચોંકાવનારા છે.  હકીકતમાં, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી સુપર-8 મેચમાં બાંગ્લાદેશનો એક અનુભવી ખેલાડી ઊંઘતો રહ્યો, જેના કારણે તે બસ ચૂકી ગયો.  આ માટે ટીમ મેનેજમેન્ટે આ ખેલાડીને સજા પણ કરી હતી.  જે બાદ હવે આ ખેલાડી પોતાના સાથી ખેલાડીઓની માફી માંગી રહ્યો છે.  ભારત સામેની મેચ પહેલા જે ખેલાડી મોડે સુધી સૂતો હતો તે બાંગ્લાદેશનો સ્ટાર બોલર તસ્કીન અહેમદ છે.  તસ્કીન અહેમદ બાંગ્લાદેશની ટી-20 ટીમનો વાઇસ કેપ્ટન પણ છે.  તસ્કીન અહેમદે ટી20 વર્લ્ડ કપ 2024માં 7 મેચમાં કુલ 8 વિકેટ લીધી હતી.  તસ્કીન અહેમદે ગ્રુપ સ્ટેજમાં શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામેની મેચમાં 2-2 વિકેટ લીધી હતી.  આ શાનદાર પ્રદર્શનથી સુપર-8માં તેની દાવેદારી ઘણી મજબૂત હતી.

જ્યારે બાંગ્લાદેશની ટીમ સુપર-8માં ભારતનો સામનો કરી રહી હતી, ત્યારે ટોસ પછી કેપ્ટને જાહેરાત કરી હતી કે પ્લેઇંગ-11માં ફેરફાર છે.  ટીમના ફાસ્ટ બોલર તસ્કીન અહેમદની જગ્યાએ જેકર અલીને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો છે.  બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ચાહકો આ ફેરફારથી આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તસ્કીન અહેમદ સારા ફોર્મમાં હતો અને તે ભારત સામે સારું રમી શક્યો હોત.  આશ્ચર્યચકિત ચાહકો તે સમયે કંઈ સમજી શક્યા ન હતા.  પરંતુ હવે આ મામલો ખુલીને સામે આવ્યો છે કે તસ્કીન અહેમદને ટીમમાં જગ્યા કેમ નથી મળી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.