સ્થાનકવાસી જૈન સંઘ-વિરાર (વેસ્ટ)માં ૨૫ વર્ષથી ઉપાશ્રય નિર્માણ યોજનાને ૨ વર્ષ પૂર્વે માત્ર ૬૩ દિવસમાં પૂર્ણ કરાવનાર શય્યાદાન મહાદાનના પ્રણેતા પૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહથી ઉપાશ્રય નાનો પડતા વિસ્તૃતિકરણ યોજનામાં માત્ર ૨ દિવસમાં માતબર અનુદાનથી હર્ષોલ્લાસ છવાયો છે. સંઘના ઉત્સાહી મંત્રી એડવોકેટ દિપ્તી શાહના જણાવ્યાનુસાર ઉપાશ્રયની જોડાજોડ જમીનની ખરીદી કરાતા ગોંડલ નિવાસી હાલ અંધેરી ચંપાબેન કાંતિલાલ ભાઈચંદ સંઘાણી હ.જયેશભાઈ સંઘાણીએ નામકરણનો લાભ લેતા વિમલનાથ જૈન ઉપાશ્રય અને આયંબિલ ભવનનો લાભ માલિનીબેન કિશોરભાઈ સંઘવી પરીવાર તેમજ આયંબિલ હોલનો દીપ્તિબેન શૈલેષભાઈ શાહ અને સ્વાધ્યાય ગૃહનો ઈન્દિરાબેન પ્રવિણચંદ્ર શાહ હ.અપૂર્વ, સૌરભ શાહ અને તેજલ મોદી (અમેરીકા)એ લીધેલ છે. આમ માત્ર ૨ દિવસમાં દાતાઓની દિલાવરીથી કાર્ય સંપન્ન થયેલ.
Trending
- એઆઇ સિસ્ટમથી દબાણો પર મોનિટરીંગ માટે કોર્પોરેશનને એવોર્ડ
- પેનકેકના શોખીન માટે ખાસ રેસીપી!!!
- ગારીયાધાર : મોરબા ગામે અપહરણ બાદ હ-ત્યાનો પ્રયાસ..!
- MG Cyberster & MG M9 નું પ્રી-બુકિંગ ભારતમાં ઓપન…
- બગસરા બાદ બનાસકાંઠામાં બાળકોએ હાથ પર બ્લેડથી માર્યા ચીરા
- મ્યાનમારમાં ભૂકંપનો જોરદાર આંચકો,રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા નોંધાઈ
- જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરશે અનંત અંબાણી..!
- જાદુઈ ચશ્માંના વળગણમાં સગીર ભાણેજને વેચવા નિકળેલા શકુની મામાને ઝડપી લેવાયો