- ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરી ચાર ફાયર ફાઇટરો દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો: પ્રાથમિક દ્રષ્ટિએ બોઇલરમાંથી આગ લાગ્યાનું તારણ, કાચો અને તૈયાર માલ બળીને ખાખ: જાનહાની ટળી
શહેરના કાલાવડ રોડ પર આવેલી ગોપાલ નમકીન બાદ વધુ એક નમકીન કંપનીમાં વિકરાળ આગની ઘટના સામે આવી છે. જેમાં શહેરના કુવાડવા રોડ નજીક નાકરાવાડી પાસે કેબીઝેડ નામની વેફર્સ અને નમકીન બનાવતી કં5નીમાં આજે સવારે 9:30 કલાકની આસપાસ આગ લાગી હોવાની ઘટના ઘટી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો અને ચાર ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે દોડાવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા. આગને કારણે કાચો અને પાકો માલ બળીને ખાખ થઇ ગયો હોવાથી કરોડો નુકશાન હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ વિગત મુજબ શહેરના કુવાડવા રોડ નજીક આવેલા નાકરાવાડી પાસે પીપળીયા ગામ નજીક નમકીન અને વેફર્સ બનાવતી કેબીઝેડ નામની ફૂડ ઇન્ડિયા કંપનીમાં આજે 9:30 કલાકની આસપાસ આગ લાગી હોવાની ફાયર બ્રિગેડને મેનેજર દ્વારા જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડે આગ વિકરાળ લાગી હોવાથી મેજર કોલ જાહેર કર્યો હતો. આથી શહેરના આસપાસના તમામ ફાયર સ્ટેશનો પરથી ગાડીઓ દોડાવવામાં આવી હતી અને ચાર ફાયર ફાઇટરો દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આગની ઘટનાથી કંપનીમાં કાચો અને પાકો માલ તેમજ મશીનરી સહિત આગની ઝપેટમાં આવી ગઇ છે. આ વિકરાળ આગને કાબૂમાં લેવા માટે આસપાસના વિસ્તારમાંથી પાણીના ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે. આગથી કોઇ જાનહાની ટળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે તેમજ આ બનાવની જાણ કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો છે અને આગની ઘટનાથી કાચો અને પાકો માલ તેમજ મશીનરી બળીને ખાખ થઇ ગયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. આથી કરોડોનું નુકશાન થયું હોવાનું જાણવા મળેલ છે તેમજ બોઇલરમાંથી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આગ કાબૂમાં આવ્યા બાદ નુકશાની અને આગનું કારણ બહાર આવશે.
હું રસ્તામાં હતો ત્યારે આગનો ફોન આવ્યો હતો: સત્યજીત ઝાલા
અબતક સાથેની વાતચીતમાં ઇઊંણ ફૂડ લિમિટેડ નામનીના એચઆર મેનેજર સત્યજીત ઝાલાએ જણાવ્યું હતું કે, સવારે 9.15 આસપાસ મને કોલ આવ્યો હતો કે, કંપનીમાં આગ લાગી છે, જેથી મેં તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરી હતી. વેફર્સ અને નમકીનની કંપની હોવાથી આગ વધુ ફેલાય તેવું તમામ મટિરિયલ હોવાથી આગ વધારે ફેલાઈ છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. કંપનીમાં 200થી 250 જેટલા કર્મચારી કામ કરે છે, તમામને સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતાં.
માનવ મૃત્યુ થયાનું ધ્યાને આવ્યું નથી: મામલતદાર
અબતક સાથેની વાતચીતમાં રાજકોટ તાલુકા મામલતદાર કે.એસ.મકવાણાએ જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના સુકલ પીપળીયા ગામે ઊંઇણ કંમનીમાં આગ લાગેલી છે. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પણ બોઈલર ઉપર આગ લાગવાથી વધુ ફેલાઈ હોઈ તેવું જાણવા મળ્યું છે. હાલમાં ફાયર વિભાગની મદદથી આગ કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યાં છે.
અંદર કોઈ નહીં હોવાની ખાતરી અગાઉ જ કરી લેવામાં આવી હતી: ફાયર ઓફિસર
અબતક સાથેની વાતચીતમાં રાજકોટ મનપાનાં ફાયર ઓફિસર આર. એ. જોબને જણાવ્યું હતું કે, હાલ 50 જેટલા ફાયરના જવાનોની ટીમો આગ પર કાબુ મેળવવા કામ કરી રહી છે. આગ ઓઇલ ટેન્કમાં ફેલાઈ હતી, જેના ઉપર મિકેનિકલ ફોર્મનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા આવ્યો. નુક્સાનીનો હજુ કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ આગ લાગી ત્યારે અંદર કોઈ નહીં હોવાની ખાતરી અગાઉ જ કરી લેવામાં આવી છે. જેથી જાનહાનિ થવાની કોઈ શક્યતા નથી. પાંચ ગાડીની મદદથી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.પાણી માટે ફેકટરીમાં આવેલા મોટા ટાંકામાંથી પાણી લેવામાં આવી રહ્યું છે.
પાંચ જેટલી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે: ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર
અબતક સાથેની વાતચીતમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, પીપણિયાની બાજુમાં ઊંઇણ ફૂડ લિમિટેડ નામની કંપનીમાં સવારે 9:25 મિનિટે અમને આગ લાગવાનો કોલ મળ્યો હતો. જેને પગલે તરત જ એક ટીમ રવાના કરવામાં આવી હતી. આગ મોટી હોવાની જાણ થતાં થોડીવાર બાદ અન્ય ચાર મળીને કુલ ચાર-પાંચ ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી હતી. વાંકાનેર મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ પણ જાણવા મળ્યું નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું.