ભાવનગરથી પ્રસિધ્ધ થતા મોઢ વણિક જ્ઞાતિનાં મુખ પત્ર ‘મોઢ મહોદય’નું આયોજન: રાજકોટનાં મોઢ વણીક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે

ભારતભરની જ્ઞાતિ સંસ્થાઓનાં પ્રમુખ સહિત ૧ હજારથી વધુ ડેલીગેટસ સંમેલનમાં પધારશે: સમાજ સંગઠન અને સ્ત્રી સશકિતકરણ પર થશે ચર્ચા

સમગ્ર વિશ્ર્વભરમાં પથરાયેલ મોઢ વણિક સમાજની જ્ઞાતિ સંસ્થાઓને એક તાંતણે જોડી રાખતી, સંગઠીત કરતી સંસ્થા સમસ્ત મોઢ વણિક જ્ઞાતિનું ભાવનગરથી પ્રસિધ્ધ થતું એક માત્ર મુખપત્ર ‘મોઢ મહોદય’ દ્વારા આગામી રવિવારના રોજ અમદાવાદના યજમાન પદે મોઢ વણીક જ્ઞાતીનું મહાસંમેલન મળનાર છે. આ મહાસંમેલન સમાજના સંગઠન અને સ્ત્રી સશકિતકરણનાં કાર્યને વેગ આપવા, અલગઅલગ જ્ઞાતિ સંસ્થાઓને સંગઠીત કરવાના હેતુ સાથે કરવામાં આવેલ છે. જેની વિગત આપવા મોઢવણીક અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મોઢ મહોદય સંસ્થાએ ગત વર્ષ ૨૦૧૭નાં ૧૦૦ વર્ષ પુર્ણ કર્યા અને સંસ્થાએ આખુ વર્ષ શતાબ્દિ વર્ષ તરીકે ઉજવણી સમગ્ર ભારતનાં વિવિધ રાજયોમાં શતાબ્દિ વર્ષના કાર્યક્રમો દ્વારા કરવામાં આવેલ હતી. અને સમસ્ત મોઢ વણીક સમાજ એ પોતીકી સંસ્થા ‘મોઢ મહોદય’નું શતાબ્દિ વર્ષ ખૂબજ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યું હતુ.

મહાસંમેલન અંગે વિસ્તૃત માહિતી આપતા રાજકોટ સ્થિત મોઢ મહોદયના કાર્યકારીણીનાં સહસ્ય કિરીટભાઈ પટેલ અને કિરેનભાઈ છાપીયા જણાવ્યું હતુ કે સમગ્ર ભારતનાં વિવિધ રાજયોનાં દરેક શહેર જિલ્લાની શાંતિ સંસ્થાઓનાં પ્રમુખ તથા કાર્યકારીણીનાં સદસ્યો એમ ૧૦૦૦થી વધુ ડેલીગેટસ ભારતનાં ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ર્ચીમ તમામ ઝોનમાંથી ઉમટી પડશે.

અમદાવાદ ખાતે યોજાનાર મહાસંમેલનમાં રાજકોટની જ્ઞાતિ સંસ્થાઓ પૈકી મોઢ વણિક સમાજમાંથી પ્રમુખ ધર્મેશ શેઠ, મંત્રી સંજય મણીયાર તથા કા.સભ્યો, મોઢ વણિક યુવા ગ્રુપમાંથી ચેરમેન કેતન મેસવાણીયા, મંત્રી કેતન પારેખ, રાજકોટ મોઢ વણિક મહાજનમાંથી પ્રમુખ ભાગ્યેશ વોરા, મંત્રી અશ્ર્વીન વડોદરીયા તથા કા.સભ્યો, મોઢ વણિક મિત્ર મંડળમાંથી પ્રમુખ પ્રનંદ કલ્યાણી તથા કા. સભ્યો, માંતગી પાટોત્સવ સમિતિમાંથી પ્રમુખ શ્રેયાંસ મહેતા તથા કા. સભ્યો, મોઢ વણિક સમાજ મહિલા મંડળમાંથી પ્રમુખ સરોજબેન ભાડા તથા કા. સભ્યો, મોઢ વણિક મહિલા સત્સંગ મંડળમાંથી પ્રમુખ ગીતાબેન પટેલ તથા કા. સભ્યો સહિતનાં જ્ઞાતિ અગ્રણીઓ તા.૨૧ને સવારનાં ૪ વાગ્યે મોઢ વણિક વિદ્યાર્થી ભૂવન, રજપૂતપરા ખાતેથી જવા રવાના થશે.

તા.૨૧ના રોજ ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે મોઢ મહોત્સવ દ્વારા આયોજીત સમગ્ર ભારતનાં જ્ઞાતિ મંડળોનું મહાસંમેલન સવારે ૯ વાગ્યે કિરીટભાઈ મથુરાદાસ મહેતા મુંબઈ અને મીનાબેન પારેખના પ્રમુખ સ્થાને શુભારંભ થશે, આ તકે જ્ઞાતિ અગ્રણીઓ, કિશોરભાઈ માસ્ટર, રાજુભાઈ ગાંધી, દિપકભાઈ ગાંધી, વિમલભાઈ ગાંધી, પ્રવિણભાઈ શાહ, રશ્મીકાંતભાઈ મહેતા, નિરંજનભાઈ મહેતા, નરેશભાઈ કોઠારી, મધુબેન મહેતા, પૂર્ણીમાબેન પારેખ, જયોતિબેન ગાંધી, વસુબેન મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સંમેલનને આખરી ઓપ આપવા મોઢ મહોદયની સમગ્ર ટીમ પ્રમુખ હર્ષદભાઈ શાહ તથા માનદ્મંત્રી દિપકભાઈ ધોળકીયાની રાહબરીમા ધર્મેન્દ્રભાઈ પરીખ, કિરીટભાઈ પટેલ, કિરેનભાઈ છાપીયા, સુનીલભાઈ પારેખ, ઈન્દ્રવદનભાઈ પરીખ, સુરેશભાઈ મુછાળા, અવિનાશભાઈ મહેતા, કેતનભા, મારવાડી, મનોજભાઈ પરીખ, યોગેશભાઈ વડોદરીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.