ઇએમઆરઆઈ અને જિલ્લા આરોગ્ય તથા વહીવટી તંત્રના નેજા હેઠળ ૧૦૮ ઈમરજન્સી સેવા ચાલી રહી છે અને કોરોનાના કપરાં સમયમાં પણ જીવના જોખમે ૧૦૮ માં ફરજ બજાવતા પાયલોટ તથા ઇએમતી તબીબો દ્વારા દર્દીઓની સમયસરની અને પૂરી કાળજી સાથે સેવા અપાઈ રહી છે, ત્યારે છેલ્લા ૩ માસ દરમિયાન સવિશેષ સેવા આપનાર ૧૦૮ ના કર્મીઓની સેવા બિરદાવવામાં આવી હતી, અને સન્માનિત કરાયા હતા. જુનાગઢના ૧૦૮ ના જિલ્લા અધિકારી વિસ્તૃત જોશીએ કોરોના ના કપરા કાળમાં છેલ્લા ત્રણ મહિનાની કામગીરીમાં સુંદર કામગીરી કરનાર ભેસાણ લોકેશનમાં પાયલોટ ભરતભાઈ નંદાણીયા, ઇએમટી દિવ્યાબેન ગોસાઈ, માણાવદર લોકેશનમાં પાયલોટ જસ્મીનભાઈ બાલાસર અને ઇએમટી જયદીપ ભાઈ દવેની ફરજ, સેવાને બિરદાવી હતી અને ઈએમ કેર એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી, મધ્યમ દિવસ.
- બંગલામાં માંસાહારી કુકડો આવ્યા બાદ ફોજદાર રાવ, પોપટ, બીલાડી અને કુતરાના ભેદી મો*ત..!
- ગીર સોમનાથ : વેરાવળ ST ડેપો ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીનુ આગમન
- શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- PM મોદી અને અમિત શાહ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત
- ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન થયા
- મોરબી: નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બજેટ રજૂ કરાયું
- બિમાર થયા પછી નહીં પરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે જરૂરી: શંકર ચૌધરી