ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સુપ્રસિદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપના નેતાઓએ ખાસ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “દાદા ભગવાન”નું પુસ્તક કે “જ્ઞાની પુરુષ” નામનું પુસ્તક અર્પણ કરીને શુભેચ્છા પાઠવી હતી.

66 2

 

ભાજપના નેતાઓએ વડાપ્રધાનના જન્મદિવસ પર એક કાર્યક્રમનું આયોજન કર્યું છે

5 15

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપના નેતાઓએ ખાસ આયોજન કર્યું છે. ત્યારે એરપોર્ટ પર નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે ધાર્મિક પુસ્તકો આપવામાં આવશે. તેમજ ત્યાં સાંસદ નરહરિ અમીને PM મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે PM મોદીના જન્મદિવસ નિમિત્તે આરોગ્ય ભવનમાં રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં  100 શ્રવણશક્તિ ધરાવતા વિદ્યાર્થીઓને શ્રવણ સાધન આપવામાં આવશે. આ રીતે PM મોદીનો જન્મદિવસ ખાસ રીતે ઉજવવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.