Abtak Media Google News

હવે આર્થિક રાજકારણ આવી રહ્યું છે…

બેઠક બાદ એનસીપી કોંગ્રેસનો પાલવ છોડી રહ્યુ હોવાની ચર્ચા

રાજકારણ હવે જાણે આર્થિક બની રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણકે એનસીપીના વડા શરદ પવાર અને અદાણી બંધ બારણે બેઠક થઈ છે. આ બેઠક બાદ એનસીપી કોંગ્રેસનો પાલવ છોડી રહ્યુ હોવાની ચર્ચા પણ જાગી રહી છે.

ગૌતમ અદાણી મુંબઈમાં એનસીપીના વડા શરદ પવારને મળ્યા હતા. ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે લગભગ દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી. શરદ પવારે થોડા દિવસો પહેલા નિવેદન આપ્યું હતું કે અદાણી કેસની તપાસ જેપીસી દ્વારા કરવાની જરૂર નથી. આ પછી ગૌતમ અદાણી પહેલીવાર શરદ પવારને મળ્યા છે. ગૌતમ અદાણી અને એનસીપી પ્રમુખ શરદ સિલ્વર ઓક બંગલોમાં મળ્યા હતા. જોકે આ બેઠક સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.

બંને વચ્ચે બંધ રૂમમાં દોઢ કલાક સુધી ચર્ચા ચાલી હતી. જોકે, બંને વચ્ચે શું ચર્ચા થઈ તે હજુ સામે આવ્યું નથી. ગૌતમ અદાણી આજે સવારે 10 વાગ્યે તેમની બ્લેક કારમાં શરદ પવારના સિલ્વર ઓક સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ પછી બંને વચ્ચે બંધ રૂમમાં વાતચીત થઈ હતી. ગૌતમ અદાણી વચ્ચે ખરેખર શું ચર્ચા થઈ હતી તે અંગે અદાણી કે શરદ પવારે કોઈ માહિતી આપી નથી. ઉલ્લેખનીય છે કે  શરદ પવાર અને ગૌતમ અદાણી એકબીજાને મળ્યા ત્યારે આ મુલાકાતમાં અન્ય કોઈ હાજર નહોતું.

શરદ પવારે કહ્યું હતું કે, ગૌતમ અદાણી કેસમાં જેપીસી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની જરૂર નથી. તેમણે આનું કારણ પણ આપ્યું છે. પવારે કહ્યું હતું કે, મેં ક્યારેય હિંડનબર્ગનું નામ પણ સાંભળ્યું નથી. શરદ પવારે એમ પણ કહ્યું હતું કે તે કંપનીના રિપોર્ટ પર વિશ્વાસ કેવી રીતે કરવો. આ સાથે તેમણે જેપીસી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિ સામે પણ સ્ટેન્ડ લીધો હતો.

કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કર્યા બાદ બીજા જ દિવસે શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે તેમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ તમામ ઘટનાક્રમ બાદ ગૌતમ અદાણીએ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. આ બેઠકમાં બંને વચ્ચે શું ચર્ચા થઈ તે હવે પછી જાણવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.