નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ) અને ‘અબતક’ મીડિયા હાઉસના સંયુકત ઉપક્રમે યોજાતા કેમ્પનો બહોળો પ્રતિસાદ

છેલ્લા એક અઠવાડીયાથી વધુ સમયથી નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરિંગસ) અને અબતક મીડીયા હાઉસના સંયુકત ઉપક્રમે સ્વાઈન ફલુ વિરોધી કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. આવો વધુ એક લોક ઉપયોગી કેમ્પ મધર ટેરેસા આશ્રમ અને કાઠિયાવાડ નિરાશ્રીત બાલાનમના બાળકો માટે યોજવામાં આવ્યો હતો. આ ઝુંબેશને ખુબ પ્રતિસાદ સાંપડયો છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો છે. નેમીનાથ ચેરી. ટ્રસ્ટ (કાસુમા બેરીંગસ) અને અબતક મીડીયા હાઉસના સંયુકત ઉપક્રમે મધર ટેરેસા આશ્રમ અને કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ખાતે સ્વાઈન ફલુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અપંગ અને નિરાશ્રીત બાળકોને સ્વાઈન ફલુ સામે રક્ષણ આપવા માટે આ ઝુંબેશ હાથ ધરાઈ હતી. બાળકોને સ્વાઈન ફલૂનો ડોઝ આપવા માટે કાસુમા બેરીંગ્સના મેનેજીંગ ડિરેકટર કમલેશભાઈ ટીંબડીયા ખાસ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.