અબતક રાજકોટ
રેલ્વે પરિવહન સુવિધા વધુ સુદ્રઢ બનાવવા અને મુસાફરોની સુવિધા વધારવા ની માંગ પૂરી કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવે દ્વારા ૬ નવેમ્બર ૨૦૨૧ થી વાંકાનેર મોરબી વચ્ચે દરરોજની ડેમુ સ્પેશિયલ અને આરક્ષિત ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા દિવાળીની પૂર્વ સંધ્યાએ આ જાહેરાત કરી હતી
વાંકાનેર મોરબી વચ્ચે દરરોજની છ ડેમુ ટ્રેનો પ્રથમ ટ્રેન૦૯૪૪૨ મોરબી-વાંકાનેર સ્પેશિયલ સવારે આઠ ૦૮:૧૦ મોરબી થી રવાના થશે અને ૮:૫૫ વાંકાનેર પહોંચશે
બીજી ગાડી ૦૯૪૪૩વાંકાનેર થી ૯:૩૦ ઉપડશે અને ૧૦:૧૫ કલાકે મોરબી પહોંચશે
ત્રીજી ગાડી૦૯૫૬૪ મોરબી થી સવારે ૧૦:૧૫ કલાકે ઉપડશે અને ૧૧:૧૦ કલાકે વાંકાનેર પહોંચશે
ચોથી ગાડી ૦૯૫૮૫વાંકાનેર મોરબી સ્પેશિયલ ટ્રેન વાંકાનેર થી સાંજે ૧૬:૫૦ કલાકે ઉપડશે અને ૧૭:૩૫ મોરબી પહોંચશે
પાંચમી ગાડી ૦૯૫૮૬મોરબી વાંકાનેર સ્પેશિયલ દરરોજ મોરબી થી સાંજે ૧૭:૫૦કલાકે ઉપડશે અને ૧૮:૪૫ કલાકે વાંકાનેર પહોંચશે
છઠી ગાડી૦૯૪૩૯ વાંકાનેર મોરબી સ્પેશિયલ ટ્રેન દરરોજ વાંકાનેર થી ૧૯:૨૦ કલાકે ઉપડશે અને ૨૦:૦૫ કલાકે મોરબી પહોંચશે
આ તમામ ટ્રેનો બંને બાજુ નજરબાગ રફાળેશ્વર અને મકનસર સ્ટેશન ઉપર રોકાશે માત્ર મોરબી વાંકાનેર ડેમો સ્પેશિયલ ટ્રેન૦૯૪૪૨ રફાળેશ્વર સ્ટેશન પર નહીં રોકાય સાથે ટ્રેન નંબર ૯૪૧૧ વાંકાનેર મોરબી તથા ૯૪૪૪ મોરબી વાંકાનેર ડેમો સ્પેશિયલ ટ્રેનો ૬ નવેમ્બર ૨૦૨૧ થી સૂચના ન મળે ત્યાં સુધી હંગામી ધોરણે રદ કરવામાં આવી છે અલગ વિશેષ ટ્રેનો અને સમય અંગે વિસ્તૃત જાણકારી માટે મુસાફરોએ www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકશે..
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, શુભ દિન.
- શું તમારું બાળક ચીડચીડુ થઈ ગયું છે??
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે..!
- પ્રાંત કચેરી નલિયા ખાતે સંકલન બેઠક…
- પ્રશ્નાવાડા ગામે ભાવસિંગ જાદવે કર્યો એક પુરક વ્યવસાય!!!
- આવા પણ મહેમાન હોય ..!
- કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી???