આવતીકાલ તા.15-09-2024ને રવિવાર, ભાદરવા સુદ બારસ એટલે કે ‘વામન દ્વાદશી’ના રોજ દ્વારકાધીશ જગતમંદિરમાં વિશેષ વામન દ્વાદશી ઉત્સવ મનોરથ ઉજવવામાં આવનાર હોય જગતમંદિરમાં શ્રીજીના ઉત્સવ દર્શનમાં જરૂરી ફેરફાર નોંધાયા હોવાનું મંદિર વહીવટદારની યાદીમાં જણાવાયું છે જે મુજબ આવતીકાલે શ્રીજીના દર્શનના સવારના ક્રમમાં શ્રીજીની મંગલા આરતી સવારે 6:30 કલાકે, દર્શન (બંધ) સવારે 10:30 થી બપોરે 12:00 સુધી અનોસર, વામન જન્મ ઉત્સવ આરતી બપોરે 12 કલાકે, ઉત્સવ દર્શન બપોરે 10:00 થી 13:30 સુધી, અનોસર (દર્શન બંધ) બપોરે 13:30 થી સાંજે 5:00 સુધી તેમજ સાંજનો ક્રમ:નિત્યક્રમ મુજબનો રહેનાર હોવાનું દેવસ્થાન સમિતિના વહીવટદારની યાદીમાં જણાવાયું છે.

મહેન્દ્ર કક્કડ 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.