ધનતેરસ પર લોકો ઘણી ખરીદી કરે છે. પરંતુ આ દિવસે તમારે ભૂલથી પણ અહીં જણાવેલી આ 8 વસ્તુઓ ન ખરીદવી જોઈએ. તેમજ આ દિવસે આવી વસ્તુ ઘરમાં લાવવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

ધનતેરસ પર આ 8 વસ્તુ ખરીદવી અશુભ

ધનતરેસ અને દિવાળી હિન્દુ ધર્મના સૌથી મુખ્ય તહેવાર છે. તેમજ આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી, ભગવાન ગણેશ, ધન્વંતરી દેવ અને કુબેર દેવતાની પૂજા કરવામાં આવે છે. તેમજ ધનતેરસના દિવસે લોકો ઘણી ખરીદી કરે છે, પરંતુ અહીં જણાવેલી 8 વસ્તુઓ ભૂલથી પણ ઘરે ન લાવવી જોઈએ. આ સાથે ધનતેરસના દિવસે આની ખરીદી કરવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે

કાચના વાસણ

GLASSWEAR

ધનતેરસના દિવસે કાચના વાસણો ન ખરીદવા જોઈએ. તે રાહુ સાથે સંબંધિત છે. ત્યારે આવી સ્થિતિમાં ધનતેરસના દિવસે કાચના વાસણો ખરીદવાથી આર્થિક સંકટ આવી શકે છે.

પ્લાસ્ટિક વસ્તુ

પ્લાસ્ટિક વસ્તુ

ધનતેરસના દિવસે પ્લાસ્ટિકની વસ્તુ ન ખરીદવી જોઈએ.

લોખંડની વસ્તુ

LOKHAND

 

ધનતેરસના દિવસે લોખંડમાંથી બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. કારણ કે માન્યતાઓ અનુસાર ભગવાન કુબેર ક્રોધિત થાય છે.

તેલ ન ખરીદવું

તેલ ન ખરીદવું

ધનતેરસના દિવસે તેલ ન ખરીદવું જોઈએ.

ધારદાર વસ્તુ ન ખરીદવી

DHARDAR

ધનતેરસના દિવસે છરી, કાતર અને સોય જેવી ધારદાર વસ્તુઓ ન ખરીદવી જોઈએ. કારણ કે આ વસ્તુ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણ

VASAN

આ સાથે ધનતેરસના દિવસે એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણો ન ખરીદવા જોઈએ. આ દિવસે તાંબા અને પિત્તળના વાસણો ખરીદવું શુભ માનવામાં આવે છે.

આર્ટિફિશિયલ જ્વેલરી

Artificial Jewellery

ધનતેરસના દિવસે આર્ટિફિશિયલ જ્વેલરી ખરીદવી પણ અશુભ માનવામાં આવે છે.

કાળા રંગની વસ્તુ અને વસ્ત્ર

BLACK 1

ધનતેરસના દિવસે ઘરમાં કાળા રંગની વસ્તુઓ લાવવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત આ દિવસે કાળા રંગના કપડા પણ ન ખરીદવા જોઈએ.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.