- મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 25 હજારથી વધુ વર્ગખંડોનું નવીનીકરણ કરાશે
- એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી ક્ધસેશન માટે ₹223 કરોડની ફાળવણી
- સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત 22 હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરાશે
ગુજરાતની શિક્ષણ પદ્ધતિ 21મી સદીની આવશ્યકતાઓ અને વૈશ્વિક બજારની માંગ અનુસાર બદલાઈ રહી છે. ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ દ્વારા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગત્યનો ભાગ ભજવશે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 25 હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ₹2914 કરોડની જોગવાઇ. નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડની જોગવાઇ. રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹782 કરોડની જોગવાઇ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹250 કરોડની જોગવાઇ. એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી ક્ધસેશન માટે ₹223 કરોડની જોગવાઇ. જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્સ માટે ₹200 કરોડની જોગવાઇ. સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત 22 હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹100 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે 90 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹70 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે વિવિધ જોગવાઈ
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 78 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ₹410 કરોડની જોગવાઇ
- એલ.ડી.ઈજનેરી કોલેજ-અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે ₹175 કરોડની જોગવાઇ.
- મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા ₹32 કરોડની જોગવાઇ.
- વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિક્ધડકટર, ફિનટેક, એરોસ્પેસ વગેરે વિષયોમાં કૌશલ્ય વિકાસ થકી આગામી સમયમાં ઉદ્ભવનાર તકનો લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી માટે ₹100 કરોડની જોગવાઇ.
- રાજ્યનો વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ અને સ્પર્ધાત્મક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અંતર્ગત ₹30 કરોડની જોગવાઇ. અમદાવાદના આઈ હુબની તર્જ પર રાજ્યમાં 04 પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપનાનું આયોજન.