Abtak Media Google News

એવું માનવામાં આવે છે કે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશનો અવતાર થયો હતો. આ તારીખે દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન ગણેશને આપણે પ્રેમથી બાપ્પા પણ કહેતા હોઈ છીએ. એવી કેટલીક વસ્તુઓ છે જે ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. જો તમે ગણેશ ચતુર્થીના દિવસે તે વસ્તુ ઘરે લાવશો તો ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને તમામ પ્રકારના રોગ અને દુ:ખનો નાશ થાય છે. તો ચાલો જાણીએ કઈ વસ્તુ છે જે આજના એટલે કે ગણેશ ચતુર્થીના દિવશે ઘરમાં લાવવી શુભ માનવામાં આવે છે.

જ્યોતિષીઓ શું કહે છે1 4

જ્યોતિષ પંડિત સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે ગણેશ ઉત્સવ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે 10 દિવસ સુધી ચાલશે. 7 સપ્ટેમ્બરે એટલે કે આજે દરેક ઘરમાં બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવનાર છે. મૂર્તિ સ્થાપિત કરવાનો શુભ સમય સવારે 06:02 થી બપોરે 12:23 સુધીનો રહેશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ રચાઈ રહ્યા છે. કેટલીક એવી વસ્તુઓ છે જેને ગણેશ ચતુર્થીના દિવસે ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે.

ગણેશ ચતુર્થી પર આ વસ્તુઓ ઘરે લાવો

ગણેશમુખી શંખ

Untitled 3

જ્યોતિષીઓ કહે છે કે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશમુખી શંખ ખરીદીને ઘરે લાવો. કારણ કે શંખમાં દેવી લક્ષ્મીનો વાસ છે. ઘરમાં શંખ ​​રાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે. શંખમાં ચોખા કે પાણી રાખો.

દુર્વા2 4

ભગવાન ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે અને તેને પૂજામાં પણ ચઢાવવામાં આવે છે. શ્રી ગણેશ ચતુર્થીના દિવસે દુર્વાને તમારા ઘરની તિજોરીમાં રાખો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.