રાજકોટ માકેટીંગ યાર્ડના વેપારીઓના માર્ચ એન્ડીંગ સમયે લાયસન્સ રિન્યુ કરવામાં આવતા હોય છે. ત્યારે નાણાકિય વર્ષના અંતિમ દિવસ સુધી લાયસન્સ રીન્યુ નહિ થતા વેપારીઓનો હોબાળો મચ્યો છે. માર્ચના અંતિમ દિવસે લાયસન્સ રીન્યુ મુદ્દે આજે તત્કાલ બોર્ડ બેઠક મળી છે.રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીઓના નાણાકિય વર્ષના અંતિમ દિવસ સુધી લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા નથી.જે મુદે વિવાદ વકયો છે. કૃષિ કાયદો લાગુ પડયા બાદ હવે કઇ રીતે લાયસન્સ રીન્યુ કરવા તે મુદ્દે આજે તત્કાલ માર્કેટ યાર્ડમાં બોર્ડ મીટીંગ બોલાવવામાં આવી છે. હવે લાયસન્સ રિન્યુ અંગેનો નિર્ણય આ મીટીંગમાં લેવાશે. તરસ લાગે ત્યારે કુવો ખોદે તે કહેવત મુજબ છેલલી ઘડી સુધી વર્ષના અંતિમ દિવસ સુધી લાયસન્સ રિન્યુ મુદ્દે કોઇ નિરાકરણ સત્તાધીશો દ્વારા નહિ લાવવામાં આવતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે જે અંગેનો તાત્કાલીક નિર્ણય લેવા આજે 11 વાગ્યે બોર્ડ બેઠક મળી હતી આ લખાય છે ત્યારે બોર્ડ બેઠક ચાલુ હોય મીટીગ પુર્ણ થયા બાદ લાયસન્સ રિન્યુ મુદ્દે યોગ્ય નિરાકરણ આવશે તેવું જણાઇ રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, મધ્યમ દિવસ.
- પશુપાલન અને પ્રાણી કલ્યાણ અંગે જાગૃતિ લાવવા રાજ્યભરમાં ઉજવાશે “પ્રાણી કલ્યાણ પખવાડીયું-2025”
- તુલસી પાસે ગરોળી હોવું જીવન માટે શુભ કે અશુભ?
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2025 લાઇવ અપડેટ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- Lava એ લોન્ચ કરી તેની ન્યુ સ્માર્ટવોચ…
- શું તમે પણ એક iphone લવર છો તો આ તમારા માટે…