- જોડીયા પંથકમાં મહિલાઓને હડફેટે લઈ મૃ*ત્યુ નિપજાવનારા ટ્રક-ટ્રેલર ચાલકને ઝડપી પાડ્યો
- ટ્રેલર ચાલક પંકજ સુરેન્દ્રકુમાર યાદવ ને ઝડપી લઈ ટ્રક ટ્રેલર કબ્જે કર્યું
- CCTV ફુટેજ તથા ટેકનીકલ હ્યુમનસોર્સની મદદથી નાશી જનાર ટ્રક(ટ્રેલર) ચાલકને ઝડપ્યો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં વહેલી સવારે 3 પદયાત્રી મહિલાઓને ઠોકરે ચઢાવી તેઓના મૃ*ત્યુ નિપજાવ્યા પછી નાસી છૂટેલા ટ્રક ટ્રેલર ચાલકને પોલીસે શોધી કાઢી અટકાયતમાં લીધો છે, અને ટ્રક કબજે કરી લીધો છે.
ગત તા.17 ફેબ્રુઆરીના વહેલી સવારના આમરણથી ધ્રોલ તરફ જતા નેશનલ હાઈવે રોડ પર મોરાણા ગામથી થોડે આગળ બાલંભા પાટીપા પાસે હાઈવે રોડ પર 12 મહીલા પગપાળા ચાલીને દ્વારકા દર્શને જતા હતા તે દરમ્યાન પાછળથી આવતા ટ્રક (ટ્રેલર)ના ચાલકે પોતાની ટ્રક (ટ્રેલર) પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી પગપાળા ચાલીને જતા મહીલાઓમાંથી 6 મહીલાઓને હડફેટે લઈ અકસ્માત કરી નાશી ગયો હતો. જે બનાવમા સ્થળ પર 3 મહીલાઓના મૃ*ત્યુ થયા હતા.
તેમજ અન્ય ત્રણ મહીલાઓને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જે બનાવ બાબતે જોડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો વણશોધાયેલો હતો. જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ જોડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફે આ વણશોધાયેલા ગુન્હાની તપાસ દરમ્યાન અલગ અલગ ટીમ બનાવી બનાવ સ્થળની આજુબાજુના CCTV ફુટેજ તથા ટેકનીકલ હ્યુમનસોર્સની મદદથી નાશી જનાર ટ્રક(ટ્રેલર) રજી નં-એન એલ -01 એ જે – 0764 નંબરના ટ્રેલર ચાલક પંકજ સુરેન્દ્રકુમાર યાદવને ઝડપી લઈ ટ્રક ટ્રેલર કબ્જે કર્યું છે.
અહેવાલ : સાગર સંઘાણી