Gandhinagar : ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે વહેલી સવારે  નિધન થયું છે. અસ્વસ્થ તબિયતના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચારથી રાજ્યના રાજકારણમાં શોકનો માહોલ છવાયો ગયો છે.

થોડા દિવસ અગાઉ જ નાદુરસ્ત તબિયતના કારણે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જ્યાં 74 વર્ષીય ભાજપના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન થયું હતું. મળતી માહિતી અનુસાર ગાંધીનગરના સેક્ટર 27 ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નિકળશે.

ભાજપના પીઢ નેતા ગણાતા શંભુજી ઠાકોર 2007, 2012 અને 2017 માં ગાંધીનગર દક્ષિણ મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. આ ઉપરાંત શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં પૂર્વ ડેપ્યૂટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.