Abtak Media Google News

નેપાળમાં ખરાબ હવામાન લોકો માટે સમસ્યા બની ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મધ્ય નેપાળમાં મદનઆશિર હાઈવે પર આજે સવારે ભૂસ્ખલન થવાને કારણે લગભગ 63 મુસાફરોને લઈને બે બસો ત્રિશુલી નદીમાં વહી ગઈ હતી. તમામ ગુમ થયાના અહેવાલ છે. ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઈન્દ્રદેવ યાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ બંને બસમાં ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા.

t2 34

અકસ્માત સવારે લગભગ 03.30 કલાકે થયો હતો. સતત વરસાદના કારણે ગુમ થયેલી બસો શોધવામાં મુશ્કેલી પડી રહી છે. દરમિયાન, ખરાબ હવામાનને કારણે કાઠમંડુથી ભરતપુર, ચિતવનની તમામ ફ્લાઇટ્સ આજે રદ કરવામાં આવી છે.

જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર અને રાહતકર્મીઓ ઘટનાસ્થળે હાજર છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સતત વરસાદના કારણે ગુમ થયેલી બસોની શોધમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે નેપાળમાં સતત કેટલાય દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે.

t3 26

દરમિયાન, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલે ટ્વિટર પર પોસ્ટ કરીને અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે, “નારાયણગઢમુગલીન રોડ સેક્શન પર ભૂસ્ખલનને કારણે બે બસ નદીમાં વહી જવાથી લગભગ 63 મુસાફરો લાપતા છે. “દેશના વિવિધ ભાગોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે જાનમાલના નુકસાનથી હું ખૂબ દુઃખી છું. હું ગૃહ પ્રશાસન સહિત સરકારની તમામ એજન્સીઓને મુસાફરોની શોધ અને અસરકારક બચાવ કરવા નિર્દેશ આપું છું.”

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.