• અજાણ્યો એક શખ્સે પીછો કરી પટ્ટા વડે માર મારતા વચ્ચે પડેલા સ્થાનીકને માર પડયો

દેરાવાસી સમાજના 6 સાઘ્વીજી સવારે 4.30 કલાકે ભરૂચ શ્રીમાળી પોળથી વિહાર કરીને મહમદપુરા પાસેથી પસાર થયા ત્યારે એક આધેડવયના પુરૂષે પીછો કરેલ આ વ્યકિતએ પીછો પીછો કરતા કરતાં બુમો પાળી તેમને ડરાવાનો પ્રયત્ન કર્યો હતો. અને વિહારમાં નજીક આવવાનો પ્રયત્ન કરેલ, દેરોલ નજીક અતિ નજીક આવવાનો પ્રયત્ન કરતા સાઘ્વીજીઓએ તેને દૂર રહેવા જણાવ્યું, તે સમયે ઉશ્કેરાઇ તે વ્યકિતએ પોતાના કમર પટ્ટા વડે 6 સાઘ્વીજીઓને માર મારવાનું શરૂ કરી દીધું. જેમાં એક સાઘ્વીજીને ધકકો મારી દુર ફેંકી દીધા હતા. આ જોઇને એક સ્થાનીક શાકભાજીવાળાએ વચ્ચે પડીને બચાવવાનો પ્રયત્ન કરતા તેને પણ માર માર્યો અને ભાગી ગયો હતો. જો કે સ્થાનીક લોકોની મદદથી તેને દેરોલ ચોકડી પાસેથી પકડી લેવામાં આવ્યો હતો.

અને પોલીસને હવાલે કર્યો હતો. ઘટનાની જાણ થતાં ભરુચ અને આજુબાજુના જૈનો હાજર થઇ સાધુ-સાઘ્વીજીઓની સુરક્ષાની માંગણી કરી હતી !

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.