- જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઠંડા પાણીના પરબનો કરાયો પ્રારંભ
- શહેરવાસીઓને તાજગી અને આરામ આપવાના હેતુથી કરાયો પ્રારંભ
- જૈન સોશિયલ ગ્રુપ સિલ્વરના પ્રમુખ કૃણાલ બાવીસી સહિતના કારોબારી ટીમના સદસ્યો રહ્યા ઉપસ્થિત
ઉનાળાની શરૂઆત સાથે જ ધોમ ધખતો તાપમાં તાપ પડી રહ્યો છે. ત્યારે માણસો તો એસીમાં બેસી રહે છે, પરંતુ બહાર કામ કરતાં લોકો માટે જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ઠંડા પાણીના પરબનો પ્રારંભ કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકોને તરસ છીપાવવામાં, તેમના શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં અને સળગતા સૂર્યથી બચવામાં મદદ મળી શકે.
જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર હમેશા અવનવા મનોરંજનના કાર્યક્રમ સાથે સાથે જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે જાણીતું બનેલ છે. જૈન ધર્મના પાવન પર્વ શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે, જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા “જળ એજ જીવન”ની ભાવના અંતર્ગત ઠંડા પાણીના સેવાયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં શહેરવાસીઓને તાજગી અને આરામ આપવાના હેતુથી શરૂ કરાયેલી આ “ઠંડા પાણી ની પરબ” સેવા કાર્યોનો પ્રતીક બની રહી છે.
આ પરબ દીપ્તિ સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ – મુંબઈના સહયોગથી, કોઈપણ જાતિ, સમાજના ભેદભાવ કર્યા વગર સારા સંકલ્પ સાથે શરૂ કરવામાં આવી છે. પરબ 3 સ્થળ પર ચાલુ કરવામાં આવેલ છે.
1.શ્રેણિક એન્ટરપ્રાઇઝ – મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ, જવાહર રોડ
2.રતન ટાઈમ્સ – ન્યુ માર્કેટ સામે, પતરાવાળી ચોક,
3. મહેતા મોબાઈલ (ફોન વાલે) – A ડીવીઝન પોલીસ સ્ટેશન સામે, ટાવર રોડ
કાર્યક્રમ પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના પ્રમુખ કુણાલ બાવીસી તેમજ સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહી સેવા કાર્યનો આરંભ કર્યો હતો. લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદ અને સહયોગથી આ આયોજન વધુ વિસ્તૃત કરવાની યોજના પણ છે.આજના યુગમાં જળસેવા એ મહાદાન છે, અને આ રીતે જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર એ માનવતાની સેવા માટે ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
અહેવાલ : ઘનશ્યામ ભટ્ટી