જો લગેજ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તમારે ટિકિટ કરતાં વધુ દંડ ભરવો પડી શકે છે.
Travel News : ભારતના મોટાભાગના લોકો મુસાફરી માટે ટ્રેનોનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા લોકો એવા છે જેઓ ટ્રેન મુસાફરી સાથે જોડાયેલા સરળ નિયમો વિશે જાણતા નથી. આજે અમે તમારા માટે આવી જ ઉપયોગી માહિતી લઈને આવ્યા છીએ જે તમને ખુબ જ ઉપયોગી સાબિત થશે.
ટ્રેનમાં સામાન લઈ જવાના કેટલાક નિયમો છે, જો તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો તમારે ટિકિટ કરતાં વધુ દંડ ભરવો પડી શકે છે.
ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ પેસેન્જર્સ વધુમાં વધુ વજન પોતાની સાથે લઈ જઈ શકે છે. આ ક્લાસમાં મુસાફરી કરતાં લોકો 70 કિલો સુધીનો સામાન પોતાની સાથે લઈ જઈ શકે છે.
આ પછી, AC સેકન્ડ ક્લાસની મર્યાદા 50 કિલો છે, એટલે કે આ વજન માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
AC ચેર કાર, સ્લીપર ક્લાસ અને AC થ્રી ટાયરમાં મુસાફરોને 40 કિલો સુધીનો સામાન લઈ જવાની છૂટ છે.
ટ્રેનમાં સામાનની સાઈઝને લઈને પણ એક નિયમ છે, જો તમે કોઈ મોટી સાઈઝનો સામાન લઈને જઈ રહ્યા છો તો તમારે તેના માટે 30 રૂપિયા ચૂકવવા પડશે.
જો સામાન ભારે હોય તો તમે તેને ટ્રેનની લગેજ બોગીમાં મૂકીને મુસાફરી કરી શકો છો, ભારે સામાનના પરિવહન માટે અલગથી ચાર્જ લેવામાં આવે છે.
શું તમે ધૂમ્રપાન કરી શકો છો
ઘણી વખત મુસાફરો ધૂમ્રપાન કરતા જોવા મળે છે પરંતુ તમને જણાવી દઈએ કે ટ્રેનમાં ધૂમ્રપાન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. રેલવેએ પણ ટ્રેન, પ્લેટફોર્મ અને સ્ટેશન પર દરેક જગ્યાએ ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂક્યો છે.
દારૂના સેવન પર પ્રતિબંધ
ટ્રેન અને પ્લેટફોર્મમાં કોઈપણ પ્રકારના નશા પર પ્રતિબંધ છે. કોઈપણ મુસાફર તેની મુસાફરી દરમિયાન દારૂનું સેવન કરી શકશે નહીં. આમ કરવાથી 1000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. તેની સાથે સજા પણ થઈ શકે છે.
ટિકિટ ક્યારે રદ કરી શકો
રિફંડ મેળવવા માટે મુસાફરી માટે બુક કરેલી ટિકિટ ક્યારે રદ કરી શકાય છે? જવાબ એ છે કે ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડે તે પહેલા ટિકિટ કેન્સલ કરવી પડશે. આ સમયગાળા દરમિયાન તમે ટિકિટ કેન્સલ કર્યા પછી જ રિફંડ મેળવી શકો છો.