• સરહદ ડેરી દ્વારા અત્યાર સુધીમાં 81 ગાય માં એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરાયા
  • પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ મજબૂત બને તે હેતુ સાથે આ પ્રયાસ

અંજાર: સરહદ ડેરી દ્વારા માંડવી તાલુકાની ગોધરા દૂધ મંડળી માં દૂધ ભરાવતા સભાસદ શ્રી વિરજીભાઈ કરશનભાઈ વરસાણી ની ગાયમાં 19-01-2024 ના રોજ એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને આજ રોજ ઐતિહાસિક  સફળતા મળતાં બે તંદુરસ્ત વાછરડીનો જન્મ થયો છે. વાછરડી એકદમ તંદુરસ્ત છે અને એક વાછરડી ૧૮ કિલો અને બીજી વાછરડી ૨૦ કિલો વજન ધરાવે છે. સભાસદ ને ગોધરા મંડળી ના પ્રમુખ શિવુભા કુંભાજી સોઢા તથા મંત્રી હેમાંગ રોહિત ડાયાલાલ વેદાંત દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

ત્યારે આ બાબતે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યુ હતું કે સમગ્ર ગુજરાત રાજ્ય માં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (ET) નું અમલીકરણ કરેલ છે ત્યાર થી કરીને આજ દિન સુધી માં એક જ ગાય થી બે વાછરડી જન્મી હોય તેવો આ પ્રથમ દાખલો છે. આ ઘટના ગુજરાત રાજયમાં પ્રથમ તથા સમગ્ર દેશ માં ત્રીજી ઘટના છે.  સરહદ ડેરી ના પ્રયાસો થી પશુપાલક ને જાણે દિવાળી રૂપી બોનસ મળી હોય તેવી ખુશીઓ છવાઈ ગઈ છે.  આજે એક ગાય માથી 2 વાછરડી નો જન્મ થયો છે જે એક ઐતિહાસિક ઘટના છે તથા સમસ્ત કચ્છ સહિત ગુજરાત માટે ગર્વ ની પણ વાત છે. ET ટેક્નોલૉજી ના ઉપયોગ થી પ્રેરણા દાયી પરિણામો મળી રહ્યા છે. સાથે તે પશુપાલક ને ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે આ વિયાણ થયેલ ગાય એક દિવસ નું 7 થી 8 લિટર જેટલું દૂધ આપે છે જ્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલૉજી થી જન્મેલ વાછરડીઓ આશરે અઢી વર્ષ પછી વિયાશે ત્યારે ૨૫ થી ૩૦ લિટર જેટલું દૂધ એક દિવસ માં આપતી થશે એટ્લે અત્યાર કરતાં દૂધ ના પ્રોડકશન ખર્ચ માં ૭૦% ની બચત થશે. ગીર, કાંકરેજ અને જર્શી ગાય માં ET થઈ શકે છે તથા આજે વિયાણ થયેલ ગાય ક્રોસ કાંકરેજ છે. બીજા પશુપાલકો પણ આવી ટેક્નોલૉજી નો બહોળા પ્રમાણ માં લાભ લે તેવું આહ્વાન પણ કરેલ છે.\

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.