Abtak Media Google News
  • એરપોર્ટ પોલીસે ગુનો નોંધી ટીખળખોરને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી આદરી

રાજકોટ નજીકના જીયાણા ગામે ગત 13 તરીખની રાત્રે બે મંદિરની અંદર અને એક મંદિરની બહાર આગ લગાડાયાની ઘટનાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. એરપોર્ટ પોલીસે તત્કાળ તપાસ કરી ગામમાં જ રહેતા એક શકમંદની પૂછપરછ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ પોલીસે એક ટીખળખોરને સકંજામાં લઇ લીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જીયાણા ગામમાં બંગલાવાળી મેલડી માતાનું મંદિર છે. જયાં 12 તારીખની રાત્રે 9 વાગ્યાથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી તાવા પ્રસાદનો કાર્યક્રમ હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ મંદિરની અંદર લાકડા સળગાવી આગ લગાડવામાં આવી હતી. જેને કારણે માતાજીની છબી નષ્ટ થઈ હતી.

એટલું જ નહીં ગામનાં પાદરમાં આવેલા રામાપીરના મંદિરની અંદર પણ ટાયર મુકી આગ લગાડવામાં આવતાં મુર્તિ નષ્ટ પામી હતી. આટલેથી નહીં અટકતા ગામમાં જ આવેલા વાસંગી દાદાના મંદિરની બહાર જૂના કપડાં સળગાવવામાં આવ્યા હતા. મંદિરને તાળુ મારેલું હોવાથી મંદિરની બહાર કપડાં સળગાવાતાં મંદિરની અંદર કોઈ નુકસાની થઈ ન હતી.

ગામમાં જ તાલુકા પંચાયતના સદસ્ય કાનજીભાઈ સવજીભાઈ મેઘાણી (ઉ.વ. 63)ને સવારે જાણ થતાં ત્રણેય મંદિર ખાતે દોડી ગયા બાદ એરપોર્ટ પોલીસને જાણ કરતાં તેનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. તપાસના અંતે પોલીસે કાનજીભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.

આ ઘટનાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. ડીસીપી સજ્જનસિંહ પરમારે બનાવની ગંભીરતા ધ્યાને લઈ તત્કાળ પોલીસની ટીમોને કામે લગાડી દીધી હતી. સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ કરતાં ગામમાં જ રહેતા એક ટીખળખોરે આ કૃત્ય કર્યાની શંકાના આધારે તેની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.