રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે ટ્રક ચાલકે સ્ટેરિનગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમા એક જ પરિવારના 2 સભ્યોના મોત થયા છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

અરવલ્લીમાં સર્જાયો અકસ્માત

બીજી તરફ શામળાજી નજીક ખોડંબા પાસે અકસ્માતની ઘટના બની છે. ટ્રકે બાઈક સવારને અડફેટે લેતા યુવકનું મોત થયુ છે. ત્યારે બાઈક પર બેઠેલા 3 યુવકને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. રોડ પરનું બેરીકેટને ટક્કર મારીને ફરાર થયો છે.

અકસ્માતમાં 1 યુવકનું મોત થયુ છે. જ્યારે 2 યુવક ઈજાગ્રસ્ત થયા છે. આ સાથે શામળાજી મંદિરે દર્શને જતા યુવકોને અકસ્માત નડ્યો છે. ત્યારે ટ્રક ચાલકે ભાદરવી પૂર્ણિમાએ ચાલતા પદયાત્રીઓનો જીવ જોખમમાં લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.