અમરેલી: મોટા કણકોટ ગામે આધેડની પોતાના જ ઘરમાં છરીના ઘા મારી આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી હતી. ત્યારે આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે અમરેલીના મોટા કણકોટ ગામે માનસિક સ્થિરતા ગુમાવતા આશરે 55 વર્ષીય ઉગા ખુમાણ નામના વ્યક્તિએ પોતાના જ ઘરમાં પોતે જાતે છરીના ઘા મારી લોહી લુહાણ અવસ્થામાં ઢળી પડ્યા હતા. ત્યારે બાજુમાંજ રહેતા લોકો ને જાણ થતા તાત્કાલિક અમરેલી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યા ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા માતમ પ્રસરી ગયો હતો.

ત્યારે પ્રાથમિક તપાસમાં આસપાસ સાથે પુચ્પરાચ કરતા તેઓએ જણાવ્યું હતું કે મૃતક કેટલાક વર્ષોથી પોતાના પરિવાર સાથે સુરત રહે છે, પરંતુ તે પોતાના કોઈ કામથી તારીખ 23 સપ્ટેમ્બરે પોતાના ગામ મોટા કણકોટ આવ્યા હતા ત્યારે અચાનક ગઈ રાત્રે મગજમાં ફેરફાર જણાતા તેમના મોટા ભાઈએ સુરત રહેતા તેમના પુત્રને જાણ કરી અને તેમનો પુત્ર રાત્રે જ સુરતથી કણકોટ આવવા રવાના થઈ ગયા હતા. ત્યારે પુત્ર ઘેર પહોંચે તે પહેલા જ તેઓએ સવારે 8 વાગ્યે પોતે પોતાના જ શરીર પર છરીના ઘા ઝીંકી દેતા તેમને હોસ્પિટલમાં સારવાર મારે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તે દરમિયાન તેમનું મૃત્યુ થતાં હાલ DYSP  અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હત્યા કે આત્મહત્યા સમગ્ર મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો

પ્રદીપ ઠાકર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.