• તાજેતરમાં અનુભવાયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન
• નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી
• સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના થઇ રહ્યા છે પ્રયાસો
• સરકાર દ્વારા ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ
• આગામી એક અઠવાડિયા સુધી સર્વેની કામગીરી ચાલુ રહેશે

જામનગર જિલ્લામાં તાજેતરમાં અનુભવાયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ જેવા મુખ્ય પાકને નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ નુકસાનનું વ્યાપક મૂલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને આગામી એક અઠવાડિયા સુધી આ કામગીરી ચાલુ રહેશે.

આ અંગે વિગતે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં તાજેતરમાં અનુભવાયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ જેવા મુખ્ય પાકને નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ નુકસાનનું વ્યાપક મૂલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને આગામી એક અઠવાડિયા સુધી આ કામગીરી ચાલુ રહેશે.

તેમજ વરસાદના કારણે થયેલા નુકસાનની વિશાળતાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં અન્ય જિલ્લાઓમાંથી ગ્રામ સેવકોને બોલાવીને સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સર્વેની કામગીરી દરમિયાન ખેડૂતો પાસેથી નુકસાન અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે અને ફોટોગ્રાફિક પુરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરીને પ્રભાવિત ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે આ ભારે વરસાદને પગલે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. સરકાર દ્વારા ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.
સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.