- અમદાવાદમાં રોંગ સાઇડ વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી
- વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
- 22 વાહનચાલકો સામે નોંધાઈ ફરયિાદ
- ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો સામે કાર્યવાહી
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવિંગ સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
Ahmedabad News : રોંગ સાઇડમાં સ્પીડમં આવતા વાહનોના કારણે અ*કસ્માતનું પ્રમાણ વધ્યું છે. જેના પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે આ મામલે સખત પગલા લેવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે દંડ ફટકારવાની સાથે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરનાર સામે આ પ્રકારની કાર્યવાહ પણ કરશે.
અમદાવાદમાં રોગ સાઇડમાં વાહન ચલાવશો તો હવે માત્ર દંડ ભરીને મુક્તિ નહિ મળે પરંતુ આપના વિરૂદ્ધ ટ્રાફિના ઉલ્લંઘનને લઇને ફરિયાદ પણ થશે.અમદાવાદમાં સતત વધતા જતાં ટ્રાફિક અને તેમાં પણ રોંગ સાઇડમાં વાહન ચાલવવાના વલણના કારણે અકસ્માતની સંખ્યા વધી છે. રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવતા વાહનોના કારણે અનેક વખત નિર્દોષ અકસ્માતનો ભોગ બને છે. આ સ્થિતિને જોતા અમદાવાદ ટ્રાફિક પોલીસે આ મામલે હવે સખત વલણ અપનાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં વધતાં જતાં અકસ્માતના કારણે હાઇકોર્ટ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. આ પગલે અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઇ છે અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર સામે સખત કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.
તારીખ ૨૧/૦૩/૨૦૨૫ ના રોજ રોંગ સાઈડ ડ્રાઇવ કરતા વાહન ચાલક વિરુદ્ધ કરવામાં આવેલ FIR ની વિગત.
અમદાવાદ શહેર પોલીસ આપને વિનંતી કરે છે કે, રોંગ સાઈડ વાહન ચલાવશો નહીં.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice @GujaratPolice pic.twitter.com/NoIgc0lRfd— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) March 23, 2025
શહેરમાં કોઈપણ નાગરીક રોંગ સાઇડ વાહન ચલાવશે તો, હવે પછી થી તેઓના વિરુદ્ધ FIR નોંધી ધરપકડ કરવામાં આવશે. જેથી તમામ નાગરિકોને વિનંતિ છે કે, રોંગ સાઈડ વાહન ન ચલાવે.
અમદાવાદમાં આ વિસ્તારમાં વધુ રોંગસાઇડમાં ચાલે છે વાહન
નારોલ સર્કલ, ગોતાબ્રિજ, સિટી સેન્ટરથી જીવરાજ ટાવર, વસ્ત્રાલ રિંગ રોડ, વિક્ટોરિયા ગાર્ડન, વીજળીઘર, સરખેજ ઢાળ, વિશાલા સર્કલ, નહેરૂબ્રિજ બીટ વિસ્તાર, ગીતામંદિર ચાર રસ્તા, કાગડાપીઠ ટી ગેલેક્સી ચાર રસ્તા, નરોડા પાટિયા સર્કલ, ઈસરો ઢાળ, પ્રભાત ચોક, ઉમિયા હોલ ત્રણ રસ્તા, એઈસી, હેલ્મેટ ચાર રસ્તા, ઈસ્કોન, પકવાન, સાણંદ સર્કલ, અખબારનગર, ખોડિયાનગર મંદિર ચાર રસ્તા. અજીતમિલ,ગરીબનગર, રખિયાલ, રામબાગથી ઈસનપુર ચાર રસ્તા,. આ તમાન રસ્તા પર લોકો વધુ રોંગસાઇડમાં વાહન ચલાવીને ટ્રાફિકના નિયમનો ઉલ્લંઘન કરે છે. જેને લઇને આ ખાસ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ એકશન મોડમાં છે અને રોંગ સાઇડથી આવતાં વાહન ચાલકને દંડ ફટકારવાની સાથે એફઆઆઇ પણ નોંધશે.
ઉલ્લેખનિય છે કે,હાઇકોર્ટે ની ટકોર બાદ ટ્રાફિક પોલીસે 23 દિવસમાં રૂ 13.21 કરોડ દંડ ફટકાર્યો. તો ચાલુ વર્ષ 2025 ના અઢી મહિના માં 6.84 લાખ કેસ કરી રૂપિયા 45 કરોડ નો દંડ ફટકાર્યો છે.આ ડ્રાઇવ સૌથી વધુ હેલ્મેટ અને રોંગ સાઇડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં ચાલુ વર્ષ 2025 ના અઢી મહિનામાં 6.84 લાખ વાહન ચાલકો કેસ કરી તેની સામે 45 કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે.
રોંગ સાઈડ ડ્રાઈવિંગ એ એક ગુનો છે અને તેનાથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવને જોખમ ઊભું થાય છે. રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરવાથી અકસ્માતો થવાની શક્યતા વધી જાય છે. ટ્રાફિક પોલીસે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અને રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાની અપીલ કરી છે. રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે, આ પગલાને હેતું રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી થતાં અકસ્માત ઘટાડવાનો છે. નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પાઠ ભણાવવા અને અકસ્માતની સંખ્યા ઘટાડવા તેમની સામે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવશે. 2024માં તંત્ર દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ 6001 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. 2025ના પ્રથમ બે મહિનામાં જ 598 વાહન જપ્ત કરવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા આજથી 13 મુખ્ય ભંગ બદલ વાહન ચાલકો સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં હેલમેટ વગર વાહન ચલાવવું, રોંગ સાઈડ વાઈન ચલાવવું, ફેન્સી નંબર પ્લેટ, ઓવર સ્પીડિંગ અને સિટ બેલ્ટ ન બાંધવો મુખ્ય છે. આ ડ્રાઈવનો હેતુ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માતની સંખ્યા ઘટે તેવો છે.