Abtak Media Google News
  • સાત વર્ષ પહેલા મોરબી ખાતે જુની અદાવતમાં અંધાધુંધી ગોળીબાર કરી મુસ્તાકમીરનું ખુન કર્યું ‘તુ

મોરબી શહેરના સુપર માર્કેટ નજીક વર્ષ 2017મા જૂની અદાવતમાં  મુસ્તાક ગુલમહમદભાઇ મીરની   અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યાનો ચકચારી  કેસ ચાલી જતા અદાલતે  મુખ્ય આરોપી સનાળાના હિતુભા ઉર્ફે હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, તેના ભાઇ ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા,  મૂળરાજસિંહ અજીતસિંહ ઝાલા અને પલ્લવર રાવલ  સહિત ચારેય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. મોરબી સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર ખૂનકેસની વિગત મુજબ,  મોરબી શહેરના સુપર માર્કેટ નજીકથી તા. 4 એપ્રિલ 2017 ના રાતે મુસ્તાક ગુલમહમદ મીર એક્ટિવ સ્કૂટર લઇ ને પસાર થઈ રહ્યા હતા ત્યારે હિતેન્દ્રસિંહ સહિતના શખ્સોએ તેની ઉપર અંધાધૂંધ ફાયરીંગ કરતા  હુમલામાં ઘવાયેલા  મુસ્તાક પર ધડાધડ ગોળીઓ છોડવામાં આવી હતી. 10 ફાયર કરીને મુસ્તાકની હત્યા કરી હત્યારા ફરાર થઇ ગયા હતા.હત્યાના બનાવ અંગે મુતક મુસ્તાકના ભાઇ આરીફ મીરે હિતેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, મૂળરાજસિંહ અજીતસિંહ ઝાલા અને પલ્લવ રાવલ સામે નોંધાવેલી ફરિયાદમાં પોતે બનાવ સમયે પોતે મુસ્તાક મીરની પાછળ સ્કૂટર લઇને જઇ રહ્યો હતો, ત્યારે હિતેન્દ્રસિંહ અને તેના ભાઇ ધર્મેન્દ્રસિંહના સ્કૂટરની પાછળ બેઠા હતા અને હિતેન્દ્રસિંહે 10 ફાયરીંગ કરીને મુસ્તાક મીરની હત્યા કર્યાનો આરોપ મૂક્યો હતો. આ ઘટનામાં  બનાવ સ્થળ પરથી ફૂટેલા કારતૂસના 10 ખાલી ખોખા મળી આવ્યા હતા. જ્યારે મરનારના શરીરમાંથી 4 ગોળી કાઢવામાં આવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી  ગુનામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર કબજે કરી રિપોર્ટ માટે એફએસએલમાં મોકલી અપાયું હતું. પોલીસની વિશેષ તપાસ બાદ ચાર્જશીટ મૂકવામાં આવતા આ કેસ મોરબી પ્રિન્સીપલ સેશન્સ કોર્ટમાં ચાલતાં બન્ને પક્ષે  દલીલ, રજૂઆતો થઇ હતી. ફરિયાદ પક્ષ દ્વારા નજરે જોનાર સાહેદ ઉપરાંત બેલેસ્ટિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.  કેસ દરમિયાન  સાહેદ વિજય વિઠ્ઠલાણીનું અવસાન થયું હતું, જ્યારે બીજો સાક્ષી સોહિલ હોસ્ટાઇલ જાહેર થયો હતો. બચાવ પક્ષે રોકાયેલા રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડિયા, પિયુષ શાહે એવો બચાવ લીધો હતો કે, બેલેસ્ટિક એક્સપર્ટના રિપોર્ટમાં હથિયારની સાઇઝ 20 સે.મી.ની દર્શાવાઇ છે અને કબજે લેવાયેલું હથિયાર 14.5 સે.મી.નું હતું. આમ બેલેસ્ટિક રિપોર્ટ અને પોલીસે કબજે કરેલા હથિયારના રિપોર્ટમાં તફાવત છે.તદુપરાંત એવો પણ બચાવ લેવાયો હતો કે, આરીફ મીરે બનાવની રાતથી લઇને સવાર સુધી ફરિયાદ કરી ન હતી.  આરીફ મીરે પ્રથમ એવું જાહેર કર્યું હતું કે આરોપી ધર્મેન્દ્રસિંહ સ્કૂટર ચલાવતો હતો અને સ્કૂટર પાછળ બેઠેલા મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહે ફાયરિંગ કર્યા હતા. પરંતુ બનાવના દિવસે ધર્મેન્દ્રસિંહની હાજરી મોરબીમાં ન હોવાના પૂરાવા મળી આવ્યા ત્યારે ફરિયાદીએ એવું ફેરવી તોળ્યું હતું કે, હત્યાની ઘટનાથી હેબતાઇ ગયો હોવાથી ધર્મેન્દ્રસિંહનું નામ લખાવ્યું હતું. પરંતુ સ્કૂટર અન્ય આરોપી મૂળરાજસિંહ ચલાવતો હતો. આમ ફરિયાદીના નિવેદનમાં પણ વિરોધાભાસ જોવા મળે છે.  આ કેસ ચાલતા  દરમિયાન મુખ્ય ફરિયાદી ક્યારેય મુદ્દતે હાજર રહ્યા ન હતા.

બન્ને પક્ષની દલીલ, રજૂઆત, રજૂ થયેલા પૂરાવા, સાક્ષીઓની જુબાની, બેલસ્ટિક એક્સપર્ટ ઓપિનિયન સહિતના પુરાવા ધ્યાને લઇને અદાલતે મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ સહિત ચારેય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે.

આ કેસમાં આરોપીઓના બચાવ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડિયા, પિયુષ એમ.શાહ અને મોરબીના એડવોકેટ જીતેન્દ્રસિંહ જાડેજા રોકાયા હતા.

બચાવ પક્ષે એડવોકેટ પિયુષ શાહ અને ભગીરથસિંહ ડોડીયાએ ધારદાર દલીલ કરી તી

પોલીસ જાપ્તામાંથી વોન્ટેડ હિતુભાએ  હત્યા અને હત્યા કોશિશ કર્યાનો આરોપ

મુસ્તાક મીરની હત્યાના ગુનામાં જેલમાંથી કોર્ટ મુદ્દતે મોરબી લઇ જવાતા આરોપી હિતુભા ધ્રાંગધ્રા નજીક પોલીસને ચકમો આપીને ફરાર થયા બાદ મોરબી કાલીકા પ્લોટમાં મુસ્તાક મીરી હત્યાના ફરિયાદી આરીફ મીર પર ફાયરીંગ કર્યા હતા. આ ઘટનમાં આરીફ મીરને બે ગોળી વાગી હતી જ્યારે એક તરૂણનું મોત થયું હતું. આ બનાવમાં હિતુભા વિરૂધ્ધ હત્યા અને હત્યાના પ્રયાસની ફરિયાદ થઇ હતી. ત્યાર બાદ તેને એટીએસની ટીમે વડોદરાથી હથિયાર સાથે ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો. નોંધનિય છે કે, ફરિયાદી આરીફ મીર વિરૂધ્ધ પણ મમુદાઢીની હત્યા અને ગુજસીકોટના ગુના નોંધાયા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.