શક્તિપીઠ અંબાજી ધામની વાત કરીએ તો બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો માં અંબાના દર્શને અને પૂનમ ભરવા માટે ઉમટ્યા હતા. ત્યારે શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા અને ચાચર ચોકમાં ગરબાની રમઝટ માણી. જો કે આ બધાંની વચ્ચે મંદિરમાંથી એક અલગ જ નજારો સામે આવ્યો છે.

આ વખતે બે પૂર્ણિમાનો સંયોગ થયો છે. ત્યારે વિવિધ મંદિરોમાં “વ્રતની પૂનમ”ની ઉજવણી થઈ. આ ઉપરાંત શક્તિપીઠ અંબાજી ધામની વાત કરીએ તો બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો માં અંબાના દર્શને અને પૂનમ ભરવા માટે ઉમટ્યા હતા. ત્યારે શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા અને ચાચર ચોકમાં ગરબાની રમઝટ માણી. જો કે આ બધાંની વચ્ચે મંદિરમાંથી એક અલગ જ નજારો સામે આવ્યો છે.

આસો પૂર્ણિમાના રૂડા અવસરે ચાચર ચોકમાં વિનામુલ્યે “ચા” પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ માં અંબાના સાનિધ્યે આમ તો વિવિધ પ્રકારના પ્રસાદ મળે છે. પરંતુ ઉંઝાના જય અંબે ગ્રુપ દ્વારા પહેલી જ વાર આ રીતે ચાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ આ પ્રસાદીનો લાભ લીધો હતો.  આ સાથે હવે ઠંડીના દિવસો શરૂ થતાં હોઈ જય અંબે ગ્રુપને આ અનોખા પ્રસાદનું વિતરણ કરવાનો વિચાર આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગરમીની ઋતુમાં ચારર ચોકમાં વિનામુલ્યે છાશનું વિતરણ તો કરવામાં આવતું જ હોય છે. અને હવે દર પૂનમે આ રીતે ચાની વ્યવસ્થા ચાલુ રહેશે. ત્યારે ભાવિક ભક્તો પણ તેને લઈને ખુશખુશાલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.