• અમરેલીના લીલીયા રોડ પર યોજાયો કાર્યક્રમ
  • રાજકોટના સાંસદ પરશોતમ રૂપાલા રહ્યા ઉપસ્થિત
  • પરશોતમ રૂપાલા હસ્તે વૃક્ષારોપણ કરાયુંWhatsApp Image 2024 07 07 at 11.42.38 a2a89cc4

અમરેલી ન્યૂઝ : દિવસે દિવસે પર્યાવરણમા પ્રદુષણનું પ્રમાણ વધતું જાય છે ત્યારે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. આવો જ એક કાર્યક્રમ અમરેલીના લીલીયા રોડ પર યોજવામાં આવ્યો હતો. ધ આર્ટ ઓફ લીવીંગ અમરેલી શ્રી શ્રી રવિશંકર મહારાજ ગ્રુપ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી શ્રી રવિશંકર મહારાજ ગ્રુપ પર્યાવરણના રક્ષણ માટે હમેશા મોખરે રહેતું આવ્યું છે. ત્યારે તેમના દ્વારા લીલીયા રોડ પર વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરશોતમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પરશોતમ રૂપાલાનું પુસ્તકની ભેટ આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમજ તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ અવસરે રાજકોટના સાંસદ, ધ આર્ટ ઓફ લીવીંગ ગ્રુપના સભ્યો સહીત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.