Abtak Media Google News

સરળ લાગતો આ શબ્દ કેટલો વજનદાર અને કિંમતી છે, એ તો જ્યારે તેની જરૂરત પડે ત્યારે જ ખબર પડે : વિજ્ઞાન કે વ્યકિત ભલે ચંદ્ર સુધી પહોંચી આવિષ્કારો શોધી શક્યો હોય, લોહીનો વિકલ્પ હજુ સુધી શોધી શક્યો નથી

લોહીનો રંગ લાલ કેમ હોય છે ?

લોહીના પ્રકાર કઈ રીતે પડે? આ લોહી શુ છે, તેની જરૂરિયાત શુ? કેટલા પ્રકારના લોહી? શરીરમાં કે જીવનમાં જરૂરિયાત શુ? લોહી વિશે જાણી અજાણી વાતો સાંભળીને આપણે પણ આ સરળ શબ્દની બહુ મોટી કિંમત કરતા થઈ જશું. અઇઘ સિસ્ટમ પ્રમાણે બ્લડ-ગ્રુપ અને માણસના લોહી વિશે રસપ્રદ માહિતી જાણો

લોહીના પ્રકાર કેટલા?

વિશ્ર્વમાં જેટલા લોકો કોઈ ગંભીર કે આકસ્મિક રોગોથી મરે છે એટલા જ લોકો ઍક્સિડન્ટ કે કુદરતી હોનારતમાં મરે છે. આવી હોનારત દરમ્યાન અનેક લોકો વધુપડતું લોહી વહી જવાને કારણે અને તત્કાળ યોગ્ય મેચિંગ બ્લડ-ગ્રુપ ધરાવતું લોહી ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ડિલિવરી અને હૃદય-કિડની કે અન્ય મેજર સર્જરી દરમ્યાન પણ લોહી ચડાવવાની જરૂર ઊભી થાય છે.

શરીરમાં લોહી એક એવી ચીજ છે જે સતત નવું-નવું બન્યા કરે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ધરતી પરના 25 ટકા લોકોને જીવનના કોઈક ને કોઈક તબક્કે લોહી ચડાવવાની જરૂર પડે છે. એકલા ભારતમાં જ દર વર્ષે પાંચ કરોડ બ્લડ-ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત હોય છે, જ્યારે ડોનેશન મળે છે માત્ર એક કરોડ જેટલું જ. વિજ્ઞાન કે વ્યકિત ભલે ચંદ્ર સુધી પહોંચી આવિષ્કારો શોધી શક્યો હોય, લોહીનો વિકલ્પ હજુ સુધી શોધી શક્યો નથી..

લોહીના પ્રકાર કઈ રીતે પડે?

બધાના લોહીનો રંગ લાલ હોય છે. એક હેલ્ધી વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોય છે ને આપણા શરીરના કુલ વજનમાંથી સાત ટકા વજન લોહીનું હોય છે. જોકે લોહી મુખ્યત્વે ચાર પ્રકારનું હોય છે. લોહીના લાલ રક્તકણોમાં શુગરબેઝ્ડ ઍન્ટિજન અ અને ગ્ની હાજરી અથવા ગેરહાજરીને આધારે લોહીના અ, ઇ, અઇ અને ઘ જેવા ચાર પ્રકારો પડે છે. આ ઍન્ટિજન અને ઍન્ટિબોડીઝ શું છે એ સમજીએ. ઍન્ટિબોડી એટલે અમુક ચોક્કસ ચીજોનો પ્રતિકાર કરી શકે એવા પ્રોટીનના બનેલા કણો. આ કણો બ્લડના પ્લાઝમામાં હોય છે. ઍન્ટિજન એટલે શરીરમાં આવાં ઍન્ટિબોડીઝ જનરેટ કરી શકે એવા કણો. એ લાલ રક્તકણોની સપાટી પર હોય છે. દરેક વ્યક્તિમાં જુદી-જુદી ઍન્ટિજન અને ઍન્ટિબોડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રુપ નક્કી થતું હોય છે. આને અઇઘ સિસ્ટમ કહે છે.

અઇઘ સિસ્ટમ પ્રમાણે બ્લડ-ગ્રુપ

અ : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર અ ઍન્ટિજન આવેલા હોય અને ઇ પ્રકારના ઍન્ટિબોડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ અ છે એમ કહેવાય.

ઇ : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર ઇ ઍન્ટિજન આવેલા હોય અને ઇ પ્રકારના ઍન્ટિબોડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ ઇ છે એમ કહેવાય.

અઇ : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર અ અને ઇ બન્ને ઍન્ટિજન આવેલા હોય અનેબન્ને પ્રકારના ઍન્ટિબોડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ અઇ છે એમ કહેવાય.

ઘ : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર અ અથવા ઇ કોઈ પણ પ્રકારના ઍન્ટિજન આવેલા ન હોય અને બન્ને પ્રકારના ઍન્ટિબોડીઝ બ્લડ પ્લાઝમામાં હોય તો એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ ઘ છે એમ કહેવાય.

પોઝિટિવ અને નેગેટિવ બ્લડ શું છે ?

છવ (છવયતીત) ફેક્ટર તરીકે ઓળખાતા ઍન્ટિજન અને ઍન્ટિબોડીઝની હાજરી કે ગેરહાજરી પરથી આ બે ગ્રુપ જુદાં પડે છે.

પોઝિટિવ : જે  વ્યક્તિમાં ઉપરોક્ત ઍન્ટિજન ઉપરાંત લાલ રક્તકણોની સપાટી પર છવ ઍન્ટિજન પણ હાજર હોય એ બ્લડ છવ પોઝિટિવ ગણાય છે.

નેગેટિવ : જે વ્યક્તિમાં લાલ રક્તકણોની સપાટી પર છવ ઍન્ટિજન હાજર ન હોય એને છવ નેગેટિવ બ્લડ કહેવાય છે. આ બ્લડના પ્લાઝમામાં છવ ઍન્ટિબોડીઝ નેચરલી નથી હોતા, પરંતુ જો આ બ્લડની સાથે છવ પોઝિટિવ બ્લડ ભેળવવામાં આવે તો એ છવ ઍન્ટિબોડીઝ પેદા કરી શકે છે.

લોહીનું મેચિંગ કઈ રીતે થાય ?

અ ગ્રુપ ધરાવનારી વ્યક્તિ અ ગ્રુપ તેમ જ અઇ ગ્રુપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે. આ વ્યક્તિને અ તેમજ ઘ ગ્રુપનું બ્લડ આપી શકાય.

ઇ ગ્રુપ ધરાવનારી વ્યક્તિ ઇ અને અઇ ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે. આ વ્યક્તિને ઇ તેમજ ઘ ગ્રુપનું બ્લડ આપી શકાય.

અઇ ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું અઇ ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકાય. આ વ્યક્તિને અ, ઇ, અઇ, અને ઘ એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે.

આ ગ્રુપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રુપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ-ગ્રુપ કહેવાય છે.

ઘ ગ્રુપ ધરાવનારી વ્યક્તિઓ અ, ઇ, અઇ, અને ઘ એમ દરેક પ્રકારના બ્લડ-ગ્રુપ સાથે મેચ થાય છે, પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર ઘ ગ્રુપ જ મેચ થાય છે. આ ગ્રુપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રુપ કહેવાય છે. બોમ્બે બ્લડ-ગ્રુપ

કેટલાક લોકોનું બ્લડ-ગ્રુપ ચકાસો તો એ ઘ પોઝિટિવ કે ઘ નેગેટિવ બતાવે છે, પણ એ ખરેખર આ બેમાંથી કોઈ ગ્રુપનું નથી હોતું. આ પ્રકારનું લોહી 1952માં મુંબઈમાં પહેલી વાર જોવા મળ્યું હતું એટલે એ ગ્રુપનું નામ બોમ્બે બ્લડ-ગ્રુપ પાડવામાં આવ્યું છે. આ સૌથી રેર ગણાતું બ્લડ-ગ્રુપ છે. ભારતમાં દર દસ લાખ લોકોએ એક વ્યક્તિ બોમ્બે બ્લડ-ગ્રુપ ધરાવે છે ને ઈસ્ટ એશિયાના અમુક દેશોમાં દર દસ લાખે ચાર વ્યક્તિ આ બ્લડ-ગ્રુપ ધરાવે છે. આ બ્લડ-ગ્રુપ ધરાવનારા લોકો પણ નોર્મલ સ્વાસ્થ્ય ધરાવતા હોય છે, પરંતુ તેમને ઍક્સિડન્ટ, ડિલિવરી કે મેજર સર્જરી દરમ્યાન લોહી ચડાવવાની જરૂર ઊભી થાય તો કટોકટી પેદા થઈ શકે છે, કેમ કે તેમને માત્ર અને માત્ર બોમ્બે બ્લડ-ગ્રુપ ધરાવનારાઓનું જ લોહી ચડી શકે છે.

ઑસ્ટ્રેલિયન મૂળ ધરાવતા અમેરિકાના બાયોલોજિસ્ટ-કમ-ફિઝિશ્યન કાર્લ લેન્ડસ્ટેઇનરે 1901ની સાલમાં શોધ્યું હતું કે દરેક વ્યક્તિનું લોહી એક સરખું નથી હોતું, પરંતુ એના વિવિધ પ્રકારહોય છે. હાલમાં જે પદ્ધતિ બહુપ્રચલિત છે એ અ, ઇ, અઇ, અને ઘ પ્રકારનાં પોઝિટિવ અને નેગેટિવ છવ ફેક્ટર ધરાવતું કુલ આઠ પ્રકારનું લોહી હોય છે. એવું સાબિત કર્યું હતું. આને અઇઘ સિસ્ટમ કહે છે. આ સિસ્ટમને આધારે મેચિંગ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓમાં બ્લડ-ટ્રાન્સફ્યુઝન કરવાથી એમાં 99.9 ટકા જેટલી સફળતા મળતી હોવાનું નોંધાયું છે.

‘ગોલ્ડન બ્લડ’ : એવું લોહી જે બચાવી શકે છે, સૌનો જીવ

“ગોલ્ડન બ્લડ નામ સાંભળીને કોઈ અત્યંત અમૂલ્ય વસ્તુ હોય તેવું લાગે છે. લોહીનું આ એક દુર્લભ ગ્રૂપ છે, જે દુનિયામાં ઘણાં ઓછા લોકો ધરાવે છે.ભલે આ ગ્રૂપના લોકોને તમે ખાસ માનો પણ ખરેખર તો આ બાબત એમના માટે ઘણી વખત જીવલેણ બની જતી હોય છે. જે બ્લડ ગ્રૂપને ‘ગોલ્ડન બ્લડ’ કહેવામાં આવે છે એનું વાસ્તવિક નામ આર એચ નુલ (છવ ક્ષીહહ) છે.

છવ ક્ષીહહ શું છે અને આને કેમ અમૂલ્ય ગણવામાં આવે છે અને શા માટે તેની સરખામણી સોના સાથે કરવામાં આવે છે?

“આ સવાલોનો જવાબ મેળવતા પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે બ્લડ ગ્રૂપનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે.

આવી રીતે નક્કી કરવામાં આવે છે બ્લડ ગ્રૂપ

લોહી કે જે લાલ કોશિકાઓમાંથી બનેલું હોય છે તેના પર પ્રોટીનનું એક સ્તર હોય છે જેને ઍન્ટીજન કહેવામાં આવે છે. બ્લડ ટાઈપ અ માં માત્ર ઍન્ટીજન અ હોય છે, બ્લડમાં ઇ માત્ર ઇ, બ્લડ અઇ માં આ બન્ને હોય છે અને ટાઈપ ઘ માં આ બન્ને હોતા નથી હોતા. લાલ લોહીની કોશિકાઓમાં એક અન્ય પ્રકારનું ઍન્ટીજન હોય છે. એને કહેવામાં આવે છે છવ ઉ.

આ ઍન્ટીજન 61 છવ ટાઈપના ઍન્ટીજનોના સમૂહનો એક ભાગ છે. જ્યારે લોહીમાં છવ ઉ હોય ત્યારે તેને પોઝિટિવ ગણવામાં આવે છે અને ના હોય ત્યારે તેને નેગેટિવ ગણવામાં આવે છે.

આ રીતે સામાન્ય બ્લડ ગ્રૂપની ઓળખ કરી એનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવે છે : અ-, ઇ +, ઇ-, અઇ +, અઇ-, ઘ + , અને ઘ-. જો કોઈને લોહી ચઢાવવાની જરૂર પડે તો એના ગ્રૂપની જાણ હોવી જરૂરી છે.

જો નેગેટિવ ગ્રૂપ વાળા માણસને પોઝિટિવ દાતાનું લોહી આપવામાં આવે તો આ તેના માટે પ્રાણઘાતક બની શકે છે. આવું એટલા માટે કે એના શરીરના એન્ટીબોડીઝ આ લોહીનો અસ્વીકાર કરી દે છે.

આ જ કારણસર ઘ- બ્લડ ગ્રૂપવાળા લોકોને યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે.કારણકે આમાં એન્ટીજન અ, ઇ કે છવ ઉ હોતા નથી. આવા સંજોગોમાં લોહી કોઈ પણ અડચણ વગર અન્ય ગ્રૂપવાળા વ્યક્તિના લોહીમાં ભળી જઈ શકે છે.

આ પ્રકારનાં જેટલાં પણ સંયોજન છે તેમાં છવ ક્ષીહહ સૌથી અલગ છે. જો કોઈના રેડ બ્લડ સેલમાં એન્ટીજન નથી તો એનું બ્લડ ટાઈપ છવ ક્ષીહહ હશે.

બાયોમેડિકલ રિસર્ચ પોર્ટલ મોજેક પર છાપવામાં આવેલા એક લેખમાં પેન બેલીએ લખ્યું છે કે પ્રથમ વખત આ બ્લડ ગ્રૂપની ઓળખ 1961 માં કરવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયાનાં મૂળ નિવાસી મહિલામાં આ જોવા મળ્યું હતું. ત્યારબાદ અત્યાર સુધી આ પ્રકારના માત્ર 43 કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. એક રીતે આ યુનિવર્સલ બ્લડ છે જે કોઈ છવ ટાઈપ વાળા કે છવ ટાઈપ વગરનાને ચઢાવી શકાય છે.

અત્યંત દુર્લભ હોવાને કારણે જ આને ગોલ્ડન બ્લડ કહેવામાં આવે છે.

બેલીના જણાવ્યા અનુસાર, આ પ્રકારનું લોહી ખૂબ જ મોંઘું હોય છે.

ભલે આ પ્રકારના લોહીને કોઈ પણ પ્રકારની ઓળખ વગર સંગ્રહિત કરવામાં આવ્યું હોય પણ એવા કિસ્સા બહાર આવ્યા છે કે જેમાં વૈજ્ઞાનિકોએ પોતાની શોધ માટે લોહીના નમૂના લેવાના હેતુસર રક્તદાન કરનારની ભાળ કાઢવાનો પ્રયાસ કર્યો હોય.

લોહીના એક ટીપામાં લગભગ 30 કરોડ લાલ કણો હોય છે !

માણસનું લોહી લાલ રંગનું પ્રવાહી છે. તેમાં પ્લાઝમા, સફેદ કણો અને લાલ કણો હોય છે. લોહીમાં 54 ટકા પ્લાઝમા છે. પ્લાઝમા લોહીના એક ટીપાંમાં લગભગ 30 કરોડ લાલકણો હોય છે. તેને કારણે તે લાલ દેખાય છે.લોહીમાં ચેપી બેકટેરિયા સામે લડવા શ્વેત કણો હોય છે. તેનું પ્રમાણ એક ટકો જ છે. પરંતુ રોગપ્રતિકારક શક્તિમાં તેની ભૂમિકા મહત્ત્વની છે. શ્ર્વેતકણો 9 કલાક જીવે છે ત્યાર બાદ નવા બને છે. લાલકણોનું મુખ્ય કામ શરીરને ઓક્સિજન આપી કાર્બનડાયોકસાઈડ મેળવવાનું છે. લાલ કણ 120 દિવસ જીવે છે તે શરીરને ઓક્સિજન અને શક્તિ પહોંચાડે છે. નાશ પામેલા લાલકણોની જગ્યાએ નવા ઉમેરાતાં રહે છે. હાડકાં વચ્ચેના પોલાણમાં દર સેંકડે કરોડો નવા લાલકણો બનતા રહીને લોહીમાં ઉમેરાય છે. લોહીમાંના શ્વેત અને રક્તકણો બરોળમાં નાશ પામે છે. બરોળ નાશ પામેલાં કણો ઉપરાંત અન્ય ઝેરી અને હાનિકારક દ્રવ્યોનો સંગ્રહ કરી પિત્તાશયમાં મોકલી નિકાલ કરે છે. લોહીમાં લાલ અને સફેદ કણ ઉપરાંત પ્લેટલેટના કણો પણ હોય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.