રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મયુરભાઇ રજનીકાંતભાઇ ભુવા (રહે-શ્યામલ સીટી બ્લોક નં-એ/2 માધવ પાર્ક રાજકોટ વાળા)ગત તા.7ના રોજ પોતાના ઘરનો સમાન અન્ય મકાને હેરફેર કરતા હતા. આ દરમિયાન તેઓએ રોકડ રૂપીયા આશરે 5,50,000 એક કાળા થેલામાં રાખેલ હોય જે થેલો સામાન ફેરવતી વખતે રસ્તામાં પડી ગયેલ હોય જે રોકડ રૂપીયા ભરેલ થેલો વગડ ચોકડી પેટ્રોલપંપ પાસેથી રાહદારી મુકેશભાઇ ભીખુભાઇ ડોડ (રહે કોઠારીયા ગણેશ સોસાયટી રાજકોટ વાળા)ને મળેલ હોય જેઓ પોતાના શેઠ સીધ્ધિ ગુ્રુપના પપ્પુભાઇ મહેતાને જાણ કરતા પપ્પુભાઇ મહેતાએ નાયબ પોલીસ કમિશ્ર્નર ઝોન-2નો સંપર્ક કરતા નાયબ પોલીસ કમીશ્ર્નરની રાહબરી હેઠળ મુળ માલીક મળી આવતા જેઓને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપયો હતો. રૂપીયા ભરેલ થેલાના મુળ માલીક મયુરભાઇ રજનીકાંતભાઇને તમામ રોકડ રમત પરત આપી ખુબ જ ઇમાનદારીનું ઉમદા કાર્ય મુકેશભાઇ લીખુભાઇ ડોડ રહે કોઠારીયા ગણેશ સોસાયટી રાજકોટ વાળાએ કરેલ હોય જે બદલ તેઓને નાયબ પોલીસ કમીશ્ર્નર ઝોન-2 તરફથી પ્રશંસાપત્ર અર્પણ કરવામા આવેલું હતું.
Trending
- ગાંધીધામ: સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
- શિયાળાના આ 6 શ્રેષ્ઠ ખોરાકને ખાવામાં ભૂલ તો નથી કરી રહ્યા ને ??
- અમદાવાદનાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ખુલ્લી તલવારે મચાવ્યો આ-તંક
- કાલાવડ પંથક માંથી વીજ કંપનીના 1700 મીટર વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયા
- ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે
- “સ્માર્ટ મીટરિંગ: એનર્જી માટે એક સ્માર્ટ ભવિષ્ય”
- રાજ્યમાં ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
- જાણો કેટલા ડેસિબલ વોઈસમાં ઇયરબડ્સને સાંભળવા જોઈએ ?